જેનેલિયા ડિસોઝાએ કર્યા છે બે વાર લગ્ન ? જાણો શું છે હકીકત

જેનેલિયા ડિસોઝા અને રિતેશ દેશમુખ બોલિવૂડના સૌથી પ્રિય કપલ્સમાંથી એક છે

જેનેલિયા અને રિતેશના લગ્ન 2012માં થયા હતા. બંનેને બે પુત્રો રાહિલ અને રિયાન છે. 2003માં ફિલ્મ 'તુઝે મેરી કસમ' ના સેટ પર બંનેના દિલ મળ્યા હતા

આ 2011ની વાત છે, અચાનક એવી ચર્ચા થઈ કે જેનેલિયા અને જોન અબ્રાહમના લગ્ન થઈ ગયા છે. એવું કહેવામાં આવ્યું હતું કે 'ફોર્સ' ના સેટ પર આ 'ભૂલથી' થયું છે

અફવા મુજબ, જોન અને જેનેલિયા વચ્ચેના લગ્નના સીનનું શૂટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે અસલી પુજારીએ મંત્ર, માળા, મંગળસૂત્ર અને સાત ફેરા પણ ફેરવી લીધા હતા

'સિતારે જમીન પર' સાથે જેનેલિયા બોલિવૂડમાં વાપસી કરી રહી છે, તેણે હવે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. અભિનેત્રીએ આ દાવાઓને નકારી કાઢ્યા છે

જેનેલિયા ડિસોઝાએ 14 વર્ષ પછી હવે આ અંગે કહ્યું, 'આમાં કોઈ સત્ય નહોતું. આવા કોઈ લગ્ન નહોતા. આ બધી પીઆર દ્વારા ફેલાવવામાં આવેલી કહાની હતી

'જાને તુ... યા જાને ના' ફેમ જેનેલિયાએ સ્પષ્ટતા કરી છે કે તેનો કે જોનને આ ખોટા સમાચાર સાથે કોઈ લેવાદેવા નથી. જોને 2014માં પ્રિયા રૂંચલ સાથે લગ્ન કર્યા હતા

રિતેશ સાથે લગ્ન કર્યા પછી જેનેલિયાએ લગભગ 10 વર્ષનો લાંબો બ્રેક લીધો. ત્યારબાદ તે 2022માં મરાઠી ફિલ્મ 'વેદ'માં જોવા મળી હતી

જોકે, આ 10 વર્ષના બ્રેક દરમિયાન, જેનેલિયાએ સલમાન ખાનની 'જય હો', 'લય ભારી', 'મૌલી' અને 'ફોર્સ 2' જેવી ફિલ્મોમાં કેમિયો કર્યો