રસોઈમાં ઉપયોગમાં આવતા કેટલાક મસાલા સ્વાસ્થ્ય સમસ્યામાં ફાયદો કરનારા હોય છે.
વરિયાળી આવો જ મસાલો છે જે શરીરની અનેક સમસ્યાથી છુટકારો અપાવે છે.
વરિયાળી ખાવાથી કબજિયાતની સમસ્યાથી રાહત મળી શકે છે.
વરિયાળી રોજ ખાવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે.
વરિયાળી ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે.
જમ્યા પછી વરિયાળી ખાવાથી શરીર હાઈડ્રેડેટ રહે છે.
વરિયાળી નિયમિત ખાવાથી આંખની રોશની વધી શકે છે.
વરિયાળી ખાવાથી એસિડિટીથી મુક્તિ મેળવવામાં મદદ મળે છે અને ગેસથી પણ રાહત થાય છે.