ખરાબ લાઈફસ્ટાઈલ અને આહારના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની સાથે વજન પણ વધી જાય છે.
વજન ઘટાડવા માટે લોકો જીમ જાય છે, ડાયટીંગ કરવા સહિતના ઉપાયો કરે છે.
તેવામાં જો તમે રોજના આહારમાં કિનોવા સામેલ કરો છો તો તેનાથી વજન ઝડપથી ઘટી શકે છે.
નિષ્ણાંતો અનુસાર જો તમે ઝડપથી વજન ઘટાડવા માંગો છો તો કિનોવા બાફીને ખાવા જોઈએ.
કિનોવા ખાવાથી મેટાબોલિઝમને બુસ્ટ થાય છે. તેનાથી ફેટ બર્નિંગ પ્રોસેસ ફાસ્ટ થઈ જાય છે.
કિનોવામાં પ્રોટીન, ફાઈબર, ફોલેટ હોય છે અને તેમાં આયરન પણ હોય છે.
બાફેલા કિનોવા ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે. તેનાથી અનહેલ્ધી ફુડ ખાવાની ક્રેવિંગ ઓછી થઈ જાય છે.
કિનોવાનું સેવન કરવાથી પાચન સુધરે છે અને કબજિયાત મટી જાય છે.