કાળા મરી ભોજનનો સ્વાદ વધારે છે અને સાથે જ શરીરને પણ લાભ કરે છે.
જો તમે રોજ કાળા મરી ખાલી પેટ ખાવાનું રાખો અથવા મોં માં રાખી તેનો રસ ગળે ઉતારો છો તો સૌથી વધુ લાભ થાય છે.
સૌથી પહેલા સવારે હુંફાળુ પાણી પીવું અને પછી કાળા મરીના 2 દાણા મોં માં રાખી લો.
કાળા મરીમાં પાઈપરિન નામનું તત્વ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે.
કાળા મરી ખાવાથી મૂડ ફ્રેશ થાય છે અને યાદશક્તિ વધારવામાં મદદ મળે છે.
કાળા મરી એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે જે ઈમ્યુનિટી બુસ્ટ કરે છે.
કાળા મરી ખાવાથી ઉધરસ, ગળાની સમસ્યામાં લાભ થાય છે.