ભારતીય લોકો ચટાકેદાર મસાલાઓની મદદથી સ્વાદિષ્ટ ભોજન બનાવે છે
પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સિંગાપોરમાં આ ભારતીય મસાલાઓ પર પ્રતિબંધ છે
પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મસાલાઓમાં ઇથિલિન ઓક્સાઇડ અને કેન્સર પેદા કરતા તત્વો મળી આવ્યા છે. જેના કારણે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
સરકારે વાયરલ સમાચાર પર સ્પષ્ટતા કરી છે કે મસાલાના કેટલાક બેચના કારણે આ કન્ફ્યુઝન થયું છે
ભારતથી સિંગાપોર મોકલવામાં આવતા કેટલાક મસાલાઓમાં ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ તેમના માનાંક કરતા વધારે હતું, તેથી પાછા મંગાવામાં આવ્યા છે
આ ઘટના બાદ તંત્ર દ્વારા નિકાસ પહેલાં મસાલાઓનું પરીક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું છે