1947 બાદ પ્રથમ સિવિલ સર્વિસ પરીક્ષામાં નંબર-1 કોણ આવ્યું હતું, આ જાણવું રસપ્રદ છે.
15 ઓગસ્ટ 1947ના ભારત આઝાદ થયું હતું. 1950મા ભારતીય વહીવટી સેવા (IAS) ની રચના કરવામાં આવી.
1949-1950મા પ્રથમ UPSC પરીક્ષામાં પ્રથમ રેંક અન્ના રાજમ મલ્હોત્રાએ હાસિલ કર્યો હતો.
અન્ના રાજમ મલ્હોત્રા દેશના પ્રથમ મહિલા IAS બન્યા. 1927માં કેરલમાં જન્મેલા રાજમ 1951 બેચના આઈએએસ અધિકારી બન્યા હતા.
અન્ના રાજમ મલ્હોત્રા આઈએએસ બન્યા બાદ મદ્રાસ કેડરમાં જોડાયા. તેમના માટે ટોપર બનવાની આ સફર સરળ નહોતી.
તે સમયમાં મહિલાઓ આઈએએસ નહોતી બની શકતી. તેમણે આ નિયમ બદલવા માટે લાંબો સંઘર્ષ કર્યો હતો.
તેમણે દેશમાં અનેક મોટા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું. દિલ્હી મેટ્રો અને નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સમાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી.
રાજમની નિમણૂંક બાદ ભારતીય સિવિલ સર્વિસમાં મહિલાઓ માટે માર્ગ ખુલ્યો. જેઓ આગળ ચાલી લાખો ઉમેદવારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા.
સેવાનિવૃત્તિ બાદ રાજમને પદ્મ ભૂષણ સહિત ઘણા રાષ્ટ્રીય સન્માન મળ્યા હતા. તેમના યોગદાનને આજે પણ યાદ કરવામાં આવે છે.