લસણનું અથાણું ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે શરીર માટે પૌષ્ટિક પણ હોય છે.
લસણનું અથાણું કોઈપણ સીઝનમાં બનાવી શકાય છે અને તેને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો.
આજે તમને પોષકતત્વોથી ભરપુર લસણનું અથાણું બનાવવાની રીત જણાવીએ.
અથાણું બનાવવા માટે લસણની કળી, સરસવનું તેલ, હીંગ, લાલ મરચું પાવડર, વિનેગર, રાઈના કુરીયા, હળદર, મીઠું લેવું.
લસણની છાલ ઉતારી તેને બરાબર સાફ કરી કોરું કરી લેવું.
એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલને ત્યાં સુધી ગરમ કરવું જ્યાં સુધીમાંથી ધુમાડો ન નીકળે. ત્યારપછી તેને ઠંડુ થવા દો.
એક બાઉલમાં બધા મસાલા લઈ તેમાં વિનેગર ઉમેરો. આ મસાલામાં લસણ અને તેલ મિક્સ કરો.
તૈયાર કરેલા અથાણાને કાચની બરણીમાં ભરો અને રોજ બરણી થોડીવાર તડકામાં રાખો. 3 થી 4 દિવસ પછી અથાણું ઉપયોગમાં લઈ શકો છો.