ચોમાસામાં અનાજ ખરાબ થતું બચાવવું એ કોઈ પડકારથી કમ જરાય નથી.
આવામાં અમે તમને એક એવો ઉપાય જણાવીશું જેનાથી તમે તમારા ઘઉંને બગડતા બચાવી શકો છો.
ચોમાસામાં અનાજમાં જીવાત અને ભેજથી બચાવવા માટે તમે ચૂનાનો પથ્થર અને લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો.
લીમડાના પાન અને ચૂના પથ્થરને એક કપડાંમાં બાંધીને પોટલી જેવું બનાવી લો.
હવે ખાલી સ્ટીલની ટાંકી કે પ્લાસ્ટિકના ડ્રમ કે પીપડામાં નાખીને ઉપર ઉનાજ ભરવાનું શરૂ કરો.
પીપડામાં અંદર અનાજની સૌથી નીચે, વચ્ચે અને ઉપર એમ ત્રણ પોટલી મૂકો.
પીપડું કે ટાંકીનું ઢાંકણું બરાબર ફીટોફીટ બંધ કરો જેથી કરીને હવા અને ભેજ અનાજ સુધી પહોંચી ન શકે.
પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને ફક્ત જાગૃત કરવા માટે લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લો. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.