શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં ભક્તો વ્રત કરતા હોય છે ખાસ તો સોમવારનું વ્રત કરવામાં આવે છે.
વ્રત દરમિયાન જો તમે ફરાળી લોટના થેપલા, પુરી ખાઈને કંટાળી ગયા છો તો ફરાળી પુડલા ટ્રાય કરી શકો છો.
શિંગોડાના લોટમાંથી સ્વાદિષ્ટ પુડલા બનાવવા માટે આ સ્ટેપ ફોલો કરો.
1 કપ શિંગોડાનો લોટ, 1 મરચું, તેલ અથવા ઘી, સિંધવ મીઠું અને પાણી
સૌથી પહેલા એક મોટા બાઉલમાં લોટ લઈ તેમાં મીઠું અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરો.
ત્યારપછી તેમાં થોડું તેલ ઉમેરી પાણી ઉમેરી પુડલાનું ખીરું તૈયાર કરો.
ગેસ પર નોનસ્ટીક પેન ગરમ કરી તેના પર થોડું ઘી લગાડો અને પછી પુડલો ઉતારો.
પુડલા એક તરફથી શેકાય જાય એટલે કિનારા પર થોડું થોડું ઘી લગાડી બંને તરફ શેકી લો.
શિંગોડાના લોટના પુડલા ચટણી સાથે, દહીં સાથે કે ચા સાથે પણ સર્વ કરી શકો છો.