અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની હોય છે.
આ વર્ષે 21 જૂને યોગિની એકાદશીનું વ્રત કરવામાં આવશે. આ વ્રત 7.18 મિનિટથી શરુ થશે.
આ વ્રત વિધિ વિધાનથી કરવામાં આવે તો બધા જ અટકેલા કામ પુરા થવા લાગે છે.
યોગિની એકાદશીના દિવસે સવારે જલદી જાગી જવું અને સ્નાન કરી ભગવાનની પૂજા કરવી.
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરી આ દિવસે સાત્વિક વસ્તુઓનો ભોગ ધરાવો.
યોગિની એકાદશીના દિવસે તુલસીજીની પણ પૂજા અર્ચના કરવી જરૂરી છે. તુલસી પૂજા વિના વ્રત અધુરું રહે છે.