ગરમીની સીઝનમાં ડાયાબિટીસના દર્દીઓ આ 5 ફળનું કરે સેવન, નહીં વધે સુગર લેવલ!
ડાયાબિટીસના દર્દીઓ માટે સુગર લેવલ કંટ્રોલ કરવું ખૂબ જરૂરી હોય છે. સુગર લેવલ કંટ્રોલ કરવા માટે દવાની સાથે ડાયટ પણ જરૂરી છે. ગરમીની સીઝનમાં સુગરના દર્દીઓ પોતાના ડાયટમાં આ 5 ફળને સામેલ કરે. આ ફળનું સેવન કરવાથી સુગર લેવલ ઘટી શકે છે. આવો જાણીએ તે 5 ફળો વિશે જેનું સેવન કરવાથી સુગર લેવલ ઝડપથી વધશે નહીં.
જામુન
ડાયાબિટીસના દર્દીઓ માટે જામુન કોઈ દવાથી ઓછા નથી. જામુનનું સેવન કરવાથી શરીરમાં ઇંસુલિન લેવલ વધી શકે છે. ડાયાબિટીસના દર્દી ગરમીની સીઝનમાં દરરોજ જામુનનું સેવન કરી શકે છે.
સફરજન
ડાયાબિટીસના દર્દી સુગર લેવલ કંટ્રોલ કરવા માટે સફરજનનું સેવન કરી શકે છે. સફરજનમાં ફાઇબર અને અન્ય પોષક તત્વો હોય છે, જે સુગર લેવલ કંટ્રોલ કરી શકે છે.
નાશપતી
નાશપતીમાં ફાઇબર હોય છે. નાશપતીનું સેવન કરવાથી ગ્લૂકોઝ ધીમે-ધીમે રિલીઝ થાય છે, જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકે છે.
કીવી
કીવીમાં વિટામિન સી, ફાઇબર, પોટેશિયમ હોય છે. કીવીનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે, જે શરીરમાં સુગર લેવલ ઘટાડી શકે છે.
જામફળ
જામફળમાં ફાઇબર જોવા મળે છે. જામફળ ખાવાથી શરીરમાં ખાંડનું સ્તર ધીમે ધીમે વધે છે, ડાયાબિટીસના દર્દીઓ નાસ્તામાં જામફળનું સેવન કરી શકે છે.
Disclaimer
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
Trending Photos