Baba Vanga Predictions: બાબા વેંગાની આ ભવિષ્યવાણીથી ભારતીયો કેમ ટેન્શનમાં આવ્યા, 7 વર્ષ બાદ ગુજરાતને માથે શું ઘાત આવી શકે?

બાબા વેંગાની વર્ષ 2025 અંગે કરાયેલી ભવિષ્યવાણી ખુબ ચર્ચામાં છે. બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીઓમાં વર્ષ 2025માં એક મોટા યુદ્ધની આશંકા વ્યક્ત કરી હતી. પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ યુદ્ધ જેવી સ્થિતિ બની ગઈ હતી. જાણો બાબા વેંગાની આવનાર વર્ષો માટે બીજી કઈ ભવિષ્યવાણીઓ છે અને શું ભારત અને ગુજરાત માટે કશું કહ્યું છે ખરા?

1/8
image

બાબા વેંગા બલ્ગેરિયાના એક મહિલા ભવિષ્યવક્તા હતા. તેઓ ભલે દ્રષ્ટિહીન હતા પરંતુ આમ છતાં તેમણે દેશ દુનિયા વિશે ઘણું ભવિષ્ય ભાખ્યું હતું. ભારત માટે પણ તેમણે એવું તે શું કહ્યું કે જેને લઈને ભારતના લોકો પણ ડરી રહ્યા છે તે ખાસ જાણવા જેવું છે. બાબા વેંગાએ તેમના મૃત્યુ પહેલા અનેક ભવિષ્યવાણીઓ કરેલી હતી. તેમનું મૃત્યુ 1996માં 84 વર્ષની વયે થયું હતું. જેના પર લોકો વિશ્વાસ ધરાવે છે. જો કે તેમની અનેક ભવિષ્યવાણીઓ ખોટી ઠરી અને કેટલીક સાચી પણ પડી હતી. 

બાબા વેંગાની ભવિષ્યવાણીઓ

2/8
image

બાબા વેંગાએ વર્ષ 2025 માટે પણ ભવિષ્યવાણીઓ કરેલી છે. જે મુજબ આ વર્ષે મોટી ઉથલપાથલ મચી શકે છે. જેના કરાણે સમગ્ર દુનિયામાં આર્થિક રીતે અસ્થિરતા આવી શકે છે. જેની અસર અનેક દેશો પર જોવા મળી શકે છે. 

યુદ્ધની ભવિષ્યવાણી

3/8
image

બાબા વેંગાના જણાવ્યાં મુજબ 2025માં અનેક દેશો વચ્ચે યુદ્ધ થઈ શકે છે. આવામાં રશિયા અને યુક્રેન બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ તણાવ જોવા મળ્યો જેને લઈને બાબા વેંગાની આ ભવિષ્યવાણી પણ ચર્ચામાં છે.   

ભૂકંપની ભવિષ્યવાણી

4/8
image

બાબા વેંગાએ 2025માં ભૂકંપ વિશે પણ ભવિષ્યવાણી કરેલી હતી. તેમની આ ભવિષ્યવાણી સટિક સાબિત થતી જોવા મળી કારણ કે માર્ચમાં મ્યાંમારમાં વિનાશકારી ભૂકંપ આવ્યો જેનાથી મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા. 

યુરોપમાં મોટી સંખ્યામાં વસે છે ભારતીય મૂળના લોકો

5/8
image

બાબા વેંગાએ વર્ષ 2025 વિશે અનેક ભવિષ્યવાણીઓ કરી છે. જે મુજબ વર્ષ 2025માં યુરોપમાં એક ભયાનક સંઘર્ષ શરૂ થશે, જેનાથી ચારેબાજુ ભારે તબાહી મચશે. આ મહાદ્વીપની વસ્તીનો એક મોટો ભાગ તેનાથી ભયંકર રીતે પ્રભાવિત થશે. અત્રે જણાવવાનું કે યુરોપમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે. 

ગુજરાત માટે શું ચિંતા

6/8
image

આ ઉપરાંત બાબા વેંગાએ 2033માં જળવાયુ પરિવર્તનના ગંભીર પરિણામો આવવા અંગે પણ ભવિષ્યવાણી કરેલી છે. તે સમયે બરફ પીગળવાથી દુનિયાભરના સમુદ્રના સ્તરમાં ભારે વધારો થશે. અત્રે જણાવવાનું કે ગુજરાતને આશરે 1600 કિમી જેટલો લાંબો દરિયાકિનારો મળેલો છે. તેમણે કહ્યું હતું કે વર્ષ 2170માં ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયાએ ભારે દુષ્કાળની સ્થિતિનો સામનો કરવો પડશે.     

બાબા વેંગાની આ ભવિષ્યવાણીઓ પડેલી છે સાચી

7/8
image

બાબા વેંગાની 9/11 હુમલની ભવિષ્યવાણી સાચી પડી છે. આ ઉપરાંત સોવિયેત સંઘના વિઘટન અંગેની ભવિષ્યવાણી પણ સારી પડી છે. બાબા વેંગાએ રાજકુમારી ડાયનાના મૃત્યુ, 2004ની થાઈલેન્ડ સુનામી, બરાક ઓબામાનું રાષ્ટ્રપતિ બનવું સહિત અનેક ભવિષ્યવાણીઓ કરી હતી.   

Disclaimer:

8/8
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.