કેદારનાથ જવું બનશે સરળ, દરેક મોસમમાં થશે બાબાના દર્શન; 9 કલાકની મુસાફરી માત્ર 36 મિનિટમાં!

Kedarnath Ropeway Project: ચારધામ યાત્રા પર જનારાઓને મોટા સમાચાર સામે આવ્યા છે. હવે ચારધામ યાત્રા પર જનારાઓને ટૂંક સમયમાં મોટી સુવિધા મળવાની છે. હાલમાં કેદારનાથ પહોંચવા માટે શ્રદ્ધાળુઓને દુર્ગમ રસ્તાઓ પરથી 21 કિલોમીટરની મુસાફરી કરવી પડે છે. મોદી સરકાર અહીં રોપ-વે બનાવી રહી છે, જેના દ્વારા 9 કલાકની યાત્રા માત્ર 36 મિનિટમાં પૂર્ણ થશે.

કેદારનાથ રોપ-વે પ્રોજેક્ટ

1/5
image

જરા વિચારો કે જો દરેક સિઝનમાં કેદારનાથ ધામની મુલાકાત લઈ શકાય તો કેટલું સારું રહેશે. હાલમાં બાબાના દરવાજા થોડા મહિનાઓ માટે જ ખુલ્લા છે અને આ દરમિયાન હજારો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. દુર્ગમ રસ્તાઓને કારણે ઘણા લોકો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ભોગ બને છે અને તેમાં ઘણો સમય પણ લાગે છે. પરંતુ, આ તમામ સમસ્યાઓનો અંત લાવવા માટે મોદી સરકારે એક મોટી યોજના તૈયાર કરી છે. કેન્દ્ર સરકારે પણ બુધવાર 5 માર્ચે આ પ્રોજેક્ટ માટે સંમતિ આપી દીધી છે.

રોપ-વે પ્રોજેક્ટ મંજૂર

2/5
image

સરકારે જણાવ્યું કે, મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને બાબા કેદારનાથ ધામ સુધી મુશ્કેલ માર્ગોને બદલે સરળતાથી પહોંચી શકાય તે માટે રોપ-વે પ્રોજેક્ટ પર ટૂંક સમયમાં કામ શરૂ થશે. સોનપ્રયાગથી કેદારનાથ ધામ સુધી રોપ-વે બનાવવામાં આવશે. આ સાથે પગપાળા મુસાફરી કરવા માટે લાગતો સમય 9 કલાકથી ઘટીને માત્ર 36 મિનિટ થઈ જશે. સરકારે પ્રોજેક્ટ માટે રૂ. 4,081 કરોડ મંજૂર કર્યા છે.

રોપ-વે કેટલો લાંબો હશે?

3/5
image

હાલમાં સોનપ્રયાગથી કેદાનાથ ધામ જવા માટે મુસાફરોને 21 કિલોમીટરનું અંતર કાપવું પડે છે, જેમાં 8 થી 9 કલાકનો સમય લાગે છે. આ આખો રસ્તો દુર્ગમ પહાડોમાંથી પસાર થાય છે અને તે ખૂબ જોખમી પણ છે. સરકાર 12.9 કિલોમીટરનો રોપ-વે બનાવી રહી છે, જેનાથી અંતર ઘટીને અડધુ થઈ જશે અને મુસાફરી પૂરી કરવામાં માત્ર 36 મિનિટનો સમય લાગશે. આ પ્રોજેક્ટ નેશનલ રોપ-વે ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ ચાર ધામ યાત્રીઓને મોટી રાહત મળશે.

હેમકુંડ સાહિબ માટે બનશે રોપ-વે

4/5
image

મોદી સરકારે કેદારનાથ ધામની સાથે જ હેમકુંડ સાહિબ સુધી સરળતાથી પહોંચવા માટે રોપ-વે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ પર પણ લગભગ રૂ. 2,730 કરોડનો ખર્ચ થશે. આ રોપ-વેનું અંતર 12.4 કિલોમીટર હશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ હેમકુંડ જનારા યાત્રિકો માટે સરળતા રહેશે અને હાલમાં જે યાત્રા 10 કલાકમાં થાય છે તે ઘટીને માત્ર 1 કલાક થઈ જશે. આ રોપ-વે ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ સુધી બનાવવામાં આવશે, જે વેલી ઑફ ફ્લાવર્સમાં જતા લોકોને પણ સુવિધા આપશે.

દૈનિક 18 હજાર મુસાફરોની ક્ષમતા

5/5
image

કેદારનાથ માટે જે રોપ-વે બનાવવામાં આવી રહ્યો છે તે અત્યાધુનિક ટ્રાઇ-કેબલ ગોંડોલાથી બનાવવામાં આવી રહ્યો છે. આ રોપ-વે દર કલાકે 1,800 મુસાફરોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે અને એક દિવસમાં 18 હજાર મુસાફરો બાબાના દર્શન કરી શકશે. હાલમાં કેદારનાથ ધામના દરવાજા માત્ર 6 મહિના માટે જ ખુલ્લા છે અને દર વર્ષે લગભગ 20 લાખ શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે જાય છે.