ભારતના અમુક રાજ્યોમાં શ્રાવણ મહિનો 15 દિવસ પહેલા અને અમુક રાજ્યોમાં 15 દિવસ પછી શરૂ થાય છે, પણ આવુ કેમ ?

Shravan maas: ભારતના હિન્દી રાજ્યોમાં 15 દિવસ પહેલા શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે, એ પહેલાં કાશી વિશ્વનાથ મહાદેવ, ઝારખંડમાં આવેલા વૈજનાથ મહાદેવ તેમજ ઉજ્જૈનમાં આવેલા મહાકાલમાં શ્રાવણ મહિનો શરૂ થઇ જાય છે. 

1/7
image

Shravan maas: ત્યારે ગુજરાતમાં શ્રાવણ મહિનો 25 જુલાઈથી શરૂ થયો છે, આ સમાચાર જાણીને આપણને મનમાં પ્રશ્ન થાય કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો 15 દિવસ પહેલાં કેમ આવે છે? આવું કેમ બને છે.  

2/7
image

શ્રાવણ મહિનો શરૂ થવામાં 15 દિવસનો ફેરફાર કેમ છે, ચાલો જાણીએ   

3/7
image

ભારતનું જે હિન્દુ કેલેન્ડર છે, તે ચંદ્રની ગતિવિધી પર આધારીત છે, એટલે કે પૂનમથી અમાસ અને અમાસથી પૂનમ એટલે કે 30 તીથીનો એક મહિનો થાય છે  

4/7
image

ભારતના ઉત્તરના રાજ્યોના મહિનાની શરૂઆત પૂનમથી થાય છે, એટલે કે પૂનમથી ચંદ્ર ધીમે-ધીમે ઘટી અમાસ તરફ આવે છે. આ 15 દિવસને આપણે કૃષ્ણપક્ષ કહીએ છીએ.   

5/7
image

જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા પશ્ચિમી રાજ્યોના કેલેન્ડરની શરૂઆત અમાસથી થાય છે એટલે અમાસથી ચંદ્ર ધીમે-ધીમે વધતો જાય છે અને પૂનમ તરફ જાય છે  

6/7
image

જેને આપણે શુક્લપક્ષ કહિએ છીએ. બસ આજ કારણથી ઉત્તરના રાજ્યોમાં પુનમથી શ્રાવણ મહિનો શરૂ થઈ જાય છે અને આપણા રાજ્યમાં અમાસથી આ મહિનો શરૂ થાય છે.  

7/7
image

(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)