એક સમયે મિત્ર હતા ભારત અને ચીન, પછી દુશ્મન કેવી રીતે બન્યા? 111 વર્ષ પહેલા એક ચિંગારીએ સંબંધોમાં લગાવી આગ
India China relations: 1914 માં ભારત સરકાર (બ્રિટિશ શાસન) એ તિબેટની સાથે સમજુતી કરી. પરંતુ 1949મા ચીનની સ્થાપના બાદથી બેઇજિંગે શિમલા સમજુતીને નજરઅંદાજ કરવાનું શરૂ કરી દીધું.
પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની સ્થાપના
India China relations: 1947 માં ભારત બ્રિટિશ શાસનથી આઝાદ થયું અને 1949મા પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની સ્થાપના થઈ. ભારત અને ચીનના કૂટનીતિક સંબંધ 1950થી શરૂ થયા પરંતુ પાડોશી દેશ હોવાને કારણે સદીઓથી બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન થતું હતું.
બૌદ્ધ ધર્મ અને બંને દેશો વચ્ચે યાત્રા
પ્રથમ શતાબ્દીમાં ભારતથી નીકળેલા બૌદ્ધ ધર્મએ ચીન પર ઉંડો પ્રભાવ પાડ્યો. તો ચીની યાત્રી વ્હેન સાંગ, ફાહિયાન અને બોધિધર્મ જેવા ભારતીય યાત્રીઓએ બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં મદદ કરી.
બ્રિટિશરોએ તિબેટ સાથે શિમલા કરાર પર હસ્તાક્ષર કર્યા
ઘણા નિષ્ણાતો તિબેટને ભારત અને ચીન વચ્ચેની દુશ્મનાવટનું મૂળ માને છે. 111 વર્ષ પહેલાં 1914માં, બ્રિટિશ શાસિત ભારત સરકારે તિબેટ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતના તવાંગ સહિત ઉત્તરપૂર્વ સરહદી ક્ષેત્ર અને તિબેટ વચ્ચે સીમા નક્કી કરવામાં આવી હતી. 1938માં, બ્રિટિશ શાસને મેકમોહન લાઇન નકશો પણ બહાર પાડ્યો હતો.
ચીને કરારને નકારી કાઢ્યો
1949માં ચીનની સ્થાપના સાથે, બેઇજિંગે શિમલા કરારને નકારી કાઢ્યો અને કહ્યું કે તિબેટનો ચીન પર અધિકાર છે.
તિબેટ અને અરૂણાચલ પ્રદેશ
1951મા ચીને તિબેટને પોતાના કબજામાં લાધૂં હતું. પરંતુ ભારતે તિબેટને અલગ દેશના રૂપમાં માન્યતા આપી. ત્યારબાદ 1972માં ભારતે નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સીને અરુણાચલ પ્રદેશના નામથી અલગ રાજ્ય બનાવ્યું. આ પછી, ચીને પોતાનો અસલી ચહેરો બતાવ્યો અને મેકમોહન લાઇનનું ઉલ્લંઘન કરવાનું શરૂ કર્યું અને 1126 કિલોમીટરના વિસ્તારમાં તેની પ્રવૃત્તિ વધારી દીધી.
ચીને જાહેર કર્યો વિવાદિત નક્શો
1958મા ચીને એક વિવાદિત નક્શો જાહેર કર્યો અને પૂર્વોત્તરથી લઈને લદ્દાખ અને યુપીના કેટલાક ભાગને પોતાના ગણાવવા લાગ્યું હતું.
20 ઓક્ટોબર 1962
ભારતે ચીનના બધા દાવા નકારી દીધા હતા પરંતુ ચીને ઘૂષણખોરી શરૂ કરી અને લદ્દાખ પર હુમલો કર્યો. આ યુદ્ધ 21 નવેમ્બર સુધી ચાલ્યું હતું. (All photo credit AI)
Trending Photos