20 જૂનથી આ રાશિઓની વધશે મુશ્કેલી, 30 વર્ષ પછી શનિ અને મંગળ બનાવશે ખતરનાક ષડાષ્ટક યોગ, થઈ શકે છે ધનહાનિ

Shadashtak Yog : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિ અને મંગળ ષડાષ્ટક યોગ બનાવવા જઈ રહ્યા છે. જેના કારણે 3 રાશિના લોકોએ સાવચેત રહેવું પડશે. ત્યારે આ લેખમાં જાણીશું કે આ રાશિઓ કઈ છે.

1/5
image

Shadashtak Yog : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહો સમયાંતરે ગોચર કરે છે અને અશુભ યોગ બનાવે છે, જેની વ્યાપક અસર માનવ જીવન તેમજ પૃથ્વી પર જોવા મળે છે. 20 જૂને મંગળ અને શનિ એક ખાસ જ્યોતિષીય પરિસ્થિતિ બનાવશે, જેને ષડાષ્ટક યોગ કહેવામાં આવે છે, જેના કારણે કેટલીક રાશિઓને સાવચેત રહેવાની જરૂર છે, આ રાશિઓના પૈસાનું નુકસાન અને સ્વાસ્થ્ય ખરાબ થવાની શક્યતાઓ છે. 

તુલા રાશિ

2/5
image

ષડાષ્ટક યોગનું નિર્માણ આ રાશિના લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ સમયે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. પરિવારના કોઈ સભ્ય સાથે અણબનાવ થઈ શકે છે. ઉદ્યોગપતિઓની આવક આ સમયે થોડી ઓછી રહેશે. આ સમયે તમારે બિનજરૂરી ખર્ચનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત આ સમય દરમિયાન તમને ઈજા થઈ શકે છે.

મકર રાશિ

3/5
image

ષડાષ્ટક યોગનું નિર્માણ મકર રાશિના લોકો માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. આ સમયે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારે આ સમયે કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ. નહીં તો પૈસા ગુમાવી શકો છો. ગુસ્સાનો અતિરેક હોઈ શકે છે. તેથી જીવનસાથી સાથે તણાવ થઈ શકે છે. વધુ પડતા કામના ભારણથી માનસિક થાક લાગી શકે છે. વાહન ચલાવતી વખતે સાવચેત રહો.  

કર્ક રાશિ

4/5
image

ષડાષ્ટક યોગનું નિર્માણ આ રાશિના લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ સમયે તમને કોઈ બાબતમાં માનસિક તણાવ થઈ શકે છે. ઉપરાંત નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી, બેદરકાર ન બનો. સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ સાવધાની રાખવી જરૂરી છે, ખાસ કરીને પેટ કે બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.   

5/5
image

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.