આખરે આવી ગઈ તબાહી! શનિ-સૂર્ય યુતિ પહેલા જ ભયાનક ભૂકંપ; સાચી પડી આ ભવિષ્યવાણીઓ...
Earthquake Astrology Connection: શુક્રવારે બપોરે આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપે પાડોશી દેશો મ્યાનમાર અને થાઈલેન્ડને હચમચાવી નાખ્યા છે. આ ભયાનક ભૂકંપમાં અત્યાર સુધીમાં 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ભૂકંપ ન્યાયના દેવતા શનિના ગોચરના થોડા કલાકો પહેલા આવ્યો હતો. ભૂકંપ અને જ્યોતિષ વચ્ચેનો સંબંધ જાણો.
Earthquake Predictions 2025
જ્યોતિષીય ગણતરીઓના આધારે ભવિષ્યવાણીઓ કરવામાં આવે છે. 12 રાશિઓની ભવિષ્યવાણીઓ સિવાય દેશ અને દુનિયામાં બનતી વિવિધ ઘટનાઓ જેવી કે આપત્તિ, આર્થિક સંકટ, રાજકીય ઉથલપાથલ, યુદ્ધ, હિંસા વગેરે વિશે પણ ભવિષ્યવાણી કરવામાં આવે છે. વર્ષ 2025 વિશે વાત કરીએ તો આ વર્ષ ખૂબ જ ખાસ છે. અઢી વર્ષમાં ગોચર કરતો ગ્રહ શનિ વર્ષ 2025માં તેની રાશિ બદલી રહ્યો છે.
શનિનું ગોચર 29 માર્ચ 2025ને શનિવારે થઈ રહ્યું છે અને આ દિવસે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મીન રાશિમાં થઈ રહ્યું છે. જેના કારણે મીન રાશિમાં શનિ-સૂર્યની યુતિ બની રહ્યી છે. તે પહેલા પણ તેની અસર દુનિયામાં જોવા મળી હતી. થાઈલેન્ડ-મ્યાનમારમાં 28 માર્ચની બપોરે એક ભયંકર ભૂકંપ આવ્યો, જેના કારણે જાન-માલનું ભારે નુકસાન થયું.
શનિ ગોચરના એક દિવસ પહેલા તબાહી
આંકડા કહે છે કે, જ્યારે પણ શનિએ ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે, ત્યારે દુનિયામાં ક્યાંકને ક્યાંક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઉદાહરણ તરીકે, જ્યારે શનિ 1937માં મીન રાશિમાં પ્રવેશ્યો હતો, ત્યારે બીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું હતું. આ પછી જ્યારે 1965-66માં શનિએ મીન રાશિમાં ગોચર કર્યું, ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું. આ વખતે જ્યારે શનિ 29 માર્ચ 2025ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે ત્યારે તેના એક દિવસ પહેલા જ થાઈલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ પણ જેવો તેવો નથી, પરંતુ તે 7.7ની તીવ્રતાનો છે.
સૂર્યગ્રહણ પહેલા જ ધ્રુંજી ધરા
ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય કે ચંદ્ર ગ્રહણ દરમિયાન ભૂકંપ આવતા નથી, પરંતુ ગ્રહણ પહેલા અને પછી ભૂકંપ આવવાની પ્રબળ સંભાવના છે. તેવી જ રીતે પૂર્ણિમા કે અમાવાસ્યા પછી ભૂકંપ આવવાની શક્યતા વધુ રહે છે. આ સંદર્ભમાં આવતીકાલે 29 માર્ચ 2025ના રોજ સૂર્યગ્રહણ પણ થઈ રહ્યું છે અને શનિ અમાસ પણ છે.
અઢી વર્ષમાં શું-શું થશે?
આગામી અઢી વર્ષ સુધી શનિ મીન રાશિમાં રહેશે. આ સમયગાળા દરમિયાન ઘણી આફતો અને યુદ્ધની સંભાવના છે. ભવિષ્ય માલિકા અનુસાર આ સમય દેશ અને દુનિયા માટે ઘાતક સાબિત થઈ શકે છે. ત્રીજા વિશ્વ યુદ્ધની શક્યતાઓ હોઈ શકે છે. આકાશ આગ ફેલાવી શકે છે, જેનો અર્થ છે કે આપણે ગ્લોબલ વોર્મિંગની ભારે આડ અસરોનો સામનો કરવો પડશે. ગ્લેશિયર ઓગળવાથી દરિયાકાંઠાના વિસ્તારો ડૂબી શકે છે.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી.
Trending Photos