ચાંદીના પાયે શનિની ચાલ કરાવશે છપ્પરફાડ આકસ્મિક ધનલાભ! આ 3 રાશિવાળાનું રાતોરાત ભાગ્ય પલટી જશે
વૈદિક જ્યોતિષ મુજબ ન્યાયના દેવતા શનિ 29 માર્ચના રોજ રાતે 11.01 વાગે મીન રાશિમાં પ્રવેશ્યા અને 2027 સુધી આ રાશિમાં રહેશે. આવામાં કેટલીક રાશિના જાતકો પર શનિની સાડા સાતી, ઢૈય્યાનો પ્રકોપ ચડે છે તો કેટલાકને મુક્તિ મળે છે. અત્રે જણાવવાનું કે શનિ જ્યારે 2, 5, 9માં ભાવમાં આવે છે ત્યારે તે ચાંદીના પાયે ગોચર કરે છે. આવામાં આ રાશિઓને બંપર ફાયદો થઈ શકે છે. શનિ ચાંદીના પાયે ચાલે ત્યારે અચાનક ધનલાભ, થાય છે. આવકના નવા સ્ત્રોત ખુલે છે. ભાગ્યોદય થાય છે. કપરા સમયમાંથી મુક્તિ મળે છે. સુખ સમૃદ્ધિ વધે છે. પ્રગતિની નવી નવી તકો સર્જાય છે.
કર્મફળદાતા શનિ સૌથી પ્રભાવશાળી ગ્રહોમાંથી એક ગણાય છે. કારણ કે તેઓ ધીમી ગતિથી ચાલે છે. શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આવામાં એક રાશિમાં ફરીથી આવતા તેમને લગભગ 30 વર્ષ જેટલો સમય લાગે છે. શનિની સ્થિતિમાં ફેરફાર તમામ રાશિના જાતકો પર અસર પાડતી હોય છે. અત્રે જણાવવાનું કે શનિએ હાલમાં જ 29 માર્ચના રોજ મીન રાશિમાં પ્રવેશ કર્યો. શનિના રાશિ પરિવર્તન કરવાની સાથે તેઓ રાશિઓ પર સોના, ચાંદી, તાંબા અને લોઢાના પાયે પણ ભ્રમણ કરે છે. આવામાં શનિએ મીન રાશિમાં કેટલીક રાશિઓમાં ચાંદીના પાયે પ્રવેશ કર્યો છે. શનિના ચાંદીના પાયે ગોચરથી આ રાશિવાળાને બંપર લાભ મળી શકે છે. જો તે લકી રાશિઓ વિશે...
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે શનિની મીન રાશિમાં ગોચર ફાયદાકારક નીવડી શકે છે. કારણ કે આ રાશિમાં શનિ નવમા ભાવમાં બિરાજમાન છે. આ સાથે જ આ રાશિના જાતકોને શનિની પનોતીથી છૂટકારો મળ્યો છે. શનિના આ રાશિમાં ચાંદીના પાયે ચાલવાથી લાંબા સમયથી અટકેલા કામો પાર પડી શકે છે. ધન ધાન્ય ઝડપથી વધી શકે છે. પરિવાર સાથે ચાલતી સમસ્યાઓનો અંત આવી શકે છે. જીવનમાં ખુશીઓ દસ્તક આપી શકે છે. યાત્રા થઈ શકે છે. વિદેશ મુસાફરીના પણ યોગ છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. બચત કરી શકશો.
વૃશ્ચિક રાશિ
કર્મફળના દાતા શનિ મીન રાશિમાં પ્રવેશ કરવાની સાથે આ રાશિના પાંચમા ભાવમાં રહેશે. આવામાં ચાંદીના પાયે ચાલ આ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. તમારી લાંબા સમયથી અટકેલી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વીતશે. નોકરીયાતો માટે પણ સારો સમય રહેશે. તમારા કામની પ્રશંસા થશે. પદોન્નતિની સાથે સારું એવું ઈન્ક્રીમેન્ટ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. જેનાથી તમને સારો એવો ધનલાભ થઈ શકે છે. બચત કરવામાં સફળ રહી શકશો. વેપારમાં ખુબ લાભ થઈ શકે છે. પ્રેમ સંબંધો ગાઢ થશે. પાર્ટનર સાથે સારો સમય વીતશે. શેર માર્કેટમાં રોકાણ લાભકારી નીવડી શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે શનિનું મીન રાશિમાં જવું લકી સાબિત થઈ શકે છે. આ રાશિના બીજા ભાવમાં શનિ છે. આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે ધનલાભ થઈ શકે છે. પરિવારમાં લાંબા સમયથી ચાલતી પરેશાનીઓ કે મનમોટાવ દૂર થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તારો સમય વીતશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. બેરોજગારોને નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. વેપારમાં ખુબ નફા થઈ શકે છે. કોઈ મોટા સરકારી પ્રોજેક્ટ મળી શકે છે. જેનાથી તમને ખુબ ફાયદો થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા સરકારી કામો પૂરા થઈ શકે છે. જીવનમાં સુખ શાંતિ જળવાશે. અપરિણીતોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. અચાનક ધનલાભના યોગ છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos