FD, SIP ભૂલી જાઓ... આ છે પોસ્ટ ઓફિસની ધાંસૂ સેવિંગ્સ સ્કીમ, એક વખત રોકાણ કરો અને દર વર્ષે મળશે 2.46 લાખ

Senior Citizen Savings Scheme: SCSS 5 વર્ષ માટે હોય છે અને જરૂર પડવા પર તેને વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે. જો કે, જો રોકાણકાર એક વર્ષ પહેલાં ખાતું બંધ કરી દે છે, તો તેને કોઈ વ્યાજ મળશે નહીં.

1/6
image

તમારા ઘરની નજીકની પોસ્ટ ઓફિસ ફક્ત પત્રો મોકલવાનું સ્થળ નથી, પરંતુ એક એવી જગ્યા છે જ્યાં તમે તમારી બચતને સુરક્ષિત અને નફાકારક બનાવી શકો છો. ખાસ કરીને જો તમે નિવૃત્ત છો અથવા તમારી નિવૃત્તિની યોજના બનાવી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ તમારા માટે બેસ્ટ વિકલ્પ બની શકે છે. સરકારની ગેરંટી સાથે આવતી આ સ્કીમમાં માત્ર શાનદાર વ્યાજ જ નથી મળતું, પરંતુ દર મહિને નિશ્ચિત આવક પણ સુનિશ્ચિત કરે છે.

8.2% નું મજબૂત વ્યાજ

2/6
image

SCSS સ્કીમમાં હાલમાં 8.2% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે, જે મોટાભાગની બેન્કોની ફિક્સ ડિપોઝિટ કરતા ઘણું વધારે છે. આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં તમારા રૂપિયા સંપૂર્ણપણે સુરક્ષિત છે, કારણ કે આ યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને તેની ગેરંટી પણ સરકાર દ્વારા આપવામાં આવે છે.

દર મહિને નિશ્ચિત આવક

3/6
image

જો કોઈ વ્યક્તિ આ યોજનામાં 30 લાખ રૂપિયાનું એક સાથે રોકાણ કરે છે, તો તેને દર વર્ષે લગભગ 2.46 લાખ રૂપિયા વ્યાજ તરીકે મળે છે. આ રકમ ત્રિમાસિક ધોરણે ખાતામાં આવે છે, એટલે કે, દર ત્રણ મહિને લગભગ 61,500 રૂપિયા અને દર મહિને સરેરાશ 20,500 રૂપિયાની નિયમિત આવક પ્રાપ્ત થાય છે. આ નિવૃત્ત લોકોને તેમની માસિક જરૂરિયાતો પૂરી કરવામાં ઘણી મદદ કરે છે.

કોણ કરી શકે છે રોકાણ?

4/6
image

SCSS યોજનામાં રોકાણ કરવા માટે વ્યક્તિની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. જો કે, 55 થી 60 વર્ષની ઉંમરે સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા સરકારી કર્મચારીઓ અને ડિફેન્સ સેક્ટરના નિવૃત્ત વ્યક્તિઓ જેમની ઉંમર 50 થી 60 વર્ષની વચ્ચે છે તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ ઉપરાંત પતિ-પત્ની એકસાથે સંયુક્ત ખાતું ખોલી શકે છે.

નિયમો અને શરતો પણ જાણો લો

5/6
image

આ યોજના 5 વર્ષ માટે છે અને જો જરૂર પડે તો તેને વધુ 3 વર્ષ લંબાવી શકાય છે. જો કે, જો રોકાણકાર એક વર્ષ પહેલાં ખાતું બંધ કરે છે, તો તેને કોઈ વ્યાજ મળશે નહીં. બીજી તરફ, જો બે વર્ષ પહેલાં બંધ કરવામાં આવે તો, વધુ દંડ વસૂલવામાં આવે છે અને જો બે થી પાંચ વર્ષ વચ્ચે બંધ કરવામાં આવે તો વ્યાજના 1 ટકા કાપવામાં આવે છે.

ટેક્સમાં પણ મળે છે છૂટ

6/6
image

SCSSએ ફક્ત એક સુરક્ષિત રોકાણ વિકલ્પ જ નથી, પરંતુ તે કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીની ટેક્સ છૂટ પણ આપે છે. એટલે કે, તે નિવૃત્ત લોકો માટે ડબલ લાભ, સુરક્ષિત આવક અને કર બચત છે.