વર્ષ 2027 સુધી આ 3 રાશિઓ પર શનિદેવની રહેશે અમીદ્રષ્ટિ, વિચાર્યું પણ નહીં હોય એટલો ધનલાભ થશે! ગુપ્ત દુશ્મનો માત ખાશે
Shani Gochar: વૈદિક પંચાંગ મુજબ શનિદેવે કુંભ રાશિમાંથી નીકળી દેવગુરુ બૃહસ્પતિની મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. જેનાથી 2027 સુધીનો સમય કેટલીક રાશિના જાતકો માટે ખુબ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે.
Shani Gochar 2025: વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ એક રાશિમાં લગભગ 30 વર્ષ બાદ ફરીથી આવે છે. શનિદેવે 29 માર્ચ 2025ના રોજ પોતાની સ્વરાશિ કુંભમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં તેઓ વર્ષ 2027 સુધી રહેશે. આ સમયગાળામાં શનિદેવની વિશેષ કૃપા કેટલીક રાશિઓ પર ખાસ રહેશે. આ રાશિના જાતકોને કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. સફળતાના યોગ છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે શનિદેવનું ગોચર સકારાત્મક સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી ધન અને વાણીના સ્થાન પર વર્ષ 2027 સુધી ભ્રમણ કરશે. આથી આ દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભના યોગ છે. ઘર પરિવારની સમસ્યાઓ ઉકેલાઈ શકે છે. વેપારીઓ, બેંકરો, ડેટા સાયન્ટિસ્ટ, ગણિતજ્ઞ, મીડિયા, માર્કેટિંગ, વાર્તાકારો જેવા વ્યવસાયિકોને પણ ફાયદો થશે. આ ઉપરાંત શનિદેવ તમારી રાશિથી 12માં ભાવના સ્વામી છે. આથી તમને કોર્ટ કચેરીના કેસોમાં પણ સફળતા મળી શકે છે. ધનની બચત કરવામાં પણ સફળ રહેશો.
વૃષભ રાશિ
શનિનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ 2027 સુધી તમારી રાશિના 11માં ભાવ પર ભ્રમણ કરી રહ્યા છે. આથી આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારાના યોગ બની રહ્યા છે. બચત કરવામાં સરળતા રહેશે અને કૌટુંબિક મતભેદ પણ દૂર થશે. ખુલીને પોતાની વાત રજૂ કરી શકશે. આ સાથે જ નોકરી કરતા હશો તો સમય ઉત્તમ રહેશે. વેપારીઓને નફો થઈ શકે છે. શનિદેવ તમારી રાશિથી ભાગ્ય અને કર્મના સ્થાનના સ્વામી છે. આથી આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. નોકરીયાતોની પદોન્નતિ થઈ શકે છે. વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે શનિદેવનું ગોચર શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી ત્રીજા ભાવ પર ગોચર કરે છે અને વર્ષ 2027 સુધી અહીં બિરાજમાન રહેશે. આથી આ સમય દરમિયાન તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. શનિની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી સંતાન ભાવ પર પડી રહી છે. આથી આ સમય દરમિયાન તમને સંતાન સંલગ્ન કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ સાથે જ ઉચ્ચ શિક્ષણ કે વિદેશ સંલગ્ન કાર્યોમાં પ્રગતિના સંકેત છે. શનિની કૃપાથી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે અને લાંબા ગાળાની યોજનાઓને લાગૂ કરવામાં મદદ મળશે. કાર્યક્ષેત્રમાં સકારાત્મક ફેરફાર આવી શકે છે. કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos