100 વર્ષ બાદ હોળી પર બનશે સૂર્ય ગોચર-ચંદ્રગ્રહણનો યોગ...આ 3 રાશિના જાતકોનું ચમકશે કિસ્મત, અચાનક થશે ધનલાભ
Chandra Grahan And Surya Gochar 2025 : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 100 વર્ષ પછી હોળીના દિવસે સૂર્ય ગોચર અને ચંદ્રગ્રહણ એક સાથે થવા જઈ રહ્યું છે, જેના કારણે કેટલીક રાશિઓનું નસીબ ચમકી શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ રાશિઓ કઈ છે જેનું કિસ્મત ચમકી શકે છે.
Chandra Grahan And Surya Gochar 2025 : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોનું ગોચર અને ગ્રહણ એકસાથે યોગ્ય સમયે થાય છે, જેની અસર માનવ જીવન તેમજ દેશ અને દુનિયા પર જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે હોળીના દિવસે 14 માર્ચે ચંદ્રગ્રહણ થવાનું છે, જ્યારે આ દિવસે ગ્રહોના રાજા સૂર્ય ભગવાન મીન રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં હોળીના દિવસે ચંદ્રગ્રહણ અને સૂર્ય ગોચરનો સંયોગ એક સાથે બનવા જઈ રહ્યો છે. જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ ઉપરાંત આ રાશિના જાતકો માટે અચાનક આર્થિક લાભ અને પ્રગતિની શક્યતાઓ છે.
મિથુન રાશિ - સૂર્ય ગોચર અને ચંદ્રગ્રહણ આ રાશના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય ભગવાન આ રાશિથી કર્મ ગૃહમાં જવાના છે. તેથી આ સમય વ્યાપારીઓ અને નોકરી શોધનારાઓ માટે શુભ રહેશે. નવી નોકરી, પ્રમોશન અને બિઝનેસમાં સફળતાની તકો મળશે. જો તમે વિદેશમાં સ્થાયી થવા માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી આવક વધી શકે છે. આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. આ સમયે વ્યાપારીઓ સારો નફો કરી શકે છે. તમે તમારા વ્યવસાયને પણ વિસ્તારી શકો છો.
વૃષભ રાશિ - સૂર્ય ગોચર અને ચંદ્રગ્રહણ આ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય ભગવાન તમારી કુંડળીમાં ગોચર કરવાના છે. તેથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. તમે કોઈ મોટા પ્રોજેક્ટનો હિસ્સો બની શકો છો. વ્યવસાયમાં નવા ગ્રાહકો અને ભાગીદારીની તકો પણ મળી શકે છે. રોકાણથી લાભ મળવાની સંભાવના છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી ઇચ્છાઓ પૂર્ણ થશે. જો તમે શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાં રોકાણ કરવા માંગો છો તો તમને નફો મળી શકે છે.
કર્ક રાશિ - સૂર્ય ગોચર અને ચંદ્રગ્રહણ આ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય ભગવાન આ રાશિથી ભાગ્ય સ્થાનમાં ગોચર કરવાના છે. તેથી આ સમયે ભાગ્ય તમારા પક્ષમાં હોઈ શકે છે. તેમજ આ સમય દરમિયાન તમે આધ્યાત્મિક પ્રગતિનો અનુભવ કરશો. તમારું વ્યક્તિત્વ અસરકારક રહેશે અને લોકો તમારા તરફ આકર્ષિત થશે. વિવાહિત લોકોને વૈવાહિક સુખ મળશે. તેનાથી પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે. આ સમયે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. તેમજ આ સમયે તમારું કાર્ય પૂર્ણ થશે. તેમજ બેરોજગાર લોકોને નવી નોકરીની તકો મળી શકે છે.
ડિસ્કલેમર - અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos