એશિયા કપમાં ધમાલ મચાવશે ટીમ ઈન્ડિયાના આ 3 ખતરનાક ખેલાડી ! આંખના પલકારામાં પલટી શકે છે મેચ

Asia Cup 2025 Indian Cricket Team : ભારતે ગયા વખતે એશિયા કપ જીત્યો હતો અને આ વખતે પણ તે મજબૂત દાવેદાર છે. ટીમ ઈન્ડિયામાં ઘણા ખેલાડીઓ છે જે મેચ વિનર છે, પરંતુ આ લેખમાં અમે તમને તે 3 ખતરનાક ખેલાડીઓ વિશે જણાવીશું, જે આંખના પલકારામાં મેચ પલટી શકે છે.

1/5
image

Asia Cup 2025 Indian Cricket Team : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝના રોમાંચક મુકાબલા પછી હવે ટીમ ઇન્ડિયાના ચાહકો એશિયા કપની રાહ જોઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 14 સપ્ટેમ્બરે ભારત પાકિસ્તાનનો સામનો કરશે.

2/5
image

ટીમ ઇન્ડિયામાં ઘણા ખેલાડીઓ છે જે મેચ વિનર છે, પરંતુ આ 3 ખતરનાક ખેલાડીઓ આંખના પલકારામાં મેચ પલટી નાખે છે. ત્યારે આ ખેલાડીઓ કયા છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

3/5
image

હાર્દિક પંડ્યા : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યામાં એકલા હાથે મેચ પલટવાની ક્ષમતા છે. ભારત માટે 114 T20 મેચ રમી ચૂકેલો હાર્દિક બીજી મોટી ટ્રોફી જીતવા પર નજર રાખશે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીતમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ હતું. તેણે મહત્વપૂર્ણ ક્ષણોમાં વિકેટો લઈને અને રન બનાવીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી.

4/5
image

અર્શદીપ સિંહ: બધાની નજર અર્શદીપ પર રહેશે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં T20 ક્રિકેટમાં ભારતનો શ્રેષ્ઠ બોલર સાબિત થયો છે. અર્શદીપે વિશ્વના સૌથી મોટા બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા છે. તે ખૂબ જ ટૂંકા સમયમાં T20 આંતરરાષ્ટ્રીયમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો. તેણે 63 મેચોમાં 99 વિકેટ લીધી છે. તે 100 વિકેટ લેવાથી એક ડગલું દૂર છે.

5/5
image

સૂર્યકુમાર યાદવ : આ વખતે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર બધાની નજર રહેશે. તે લાંબા સમય પછી વાપસી કરવા જઈ રહ્યો છે. સૂર્યાની તાજેતરમાં સર્જરી થઈ છે અને તે પ્રેક્ટિસ માટે મેદાન પર આવ્યો છે. સૂર્યાને T20 ફોર્મેટનો સૌથી ખતરનાક બેટ્સમેન માનવામાં આવે છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 83 T20 મેચ રમી છે, જેમાં 2598 રન બનાવ્યા છે. સૂર્યાએ આ ફોર્મેટમાં ભારત માટે એક કે બે નહીં પરંતુ 4 સદી ફટકારી છે. સૂર્યા ખૂબ જ ઓછા બોલમાં મેચને સંપૂર્ણપણે પલટી નાખે છે.