ભારત સહિત 6 દેશો પર મંડરાય રહ્યો છે ખતરો! 200 કરોડો લોકોના જીવન પર પડશે સીધી અસર, તબાહીના 'ટાઈમ બોમ્બ'નું કાઉન્ટડાઉન શરૂ!

Climate Change Impact: ગ્લોબલ વોર્મિંગનો કહેર આ રીતે ચાલુ રહેશે, તો વર્ષ 2100 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં 2.7 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. આનાથી સીધી અસર 2 અબજ લોકોની આજીવિકા પર પડશે.

ગ્લોબલ વોર્મિંગ એ વૈશ્વિક ચિંતાનો વિષય

1/9
image

ગ્લોબલ વોર્મિંગ એ વૈશ્વિક ચિંતાનો વિષય છે. પૃથ્વીનું સરેરાશ તાપમાન સતત વધી રહ્યું છે, જેના કારણે આબોહવા પરિવર્તનની ગંભીર અસરો થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગના વધતા ખતરા વચ્ચે એક ખૂબ જ ડરામણો રિપોર્ટ સામે આવ્યો છે. આ સ્ટડીની અસર ભારતમાં પણ પડવાની છે.

ડરામણી છે સ્ટડી

2/9
image

વૈજ્ઞાનિકોની નવી સ્ટડી હિન્દુ કુશ હિમાલય વિશે છે. સ્ટડીમાં ચેતવણી આપવામાં આવી છે કે,  સદીના અંત સુધીમાં હિન્દુ કુશ હિમાલયનો 75% બરફ પીગળી શકે છે.

200 કરોડથી વધુ લોકો પર સંકટ!

3/9
image

સ્ટડીમાં ખુલાસો થયો છે કે, જો વૈશ્વિક તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે, તો 200 કરોડથી વધુ લોકોને પાણી પૂરું પાડતી નદીઓના સ્ત્રોત બગડશે.

તાપમાન રાખવું પડશે મર્યાદિત

4/9
image

સાયન્સ મેગેઝિનમાં પ્રકાશિત થયેલા એક સ્ટડી મુજબ જો તાપમાન 1.5 ડિગ્રી સુધી મર્યાદિત રાખવામાં આવે તો 40-45% બરફ બચાવી શકાય છે.

વધી થઈ શકે છે વૈશ્વિક તાપમાન

5/9
image

સ્ટડી અનુસાર જો વર્તમાન આબોહવા નીતિઓ ચાલુ રહેશે, તો 2100 સુધીમાં વિશ્વનું સરેરાશ તાપમાન 2.7 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. આનાથી વૈશ્વિક સ્તરે ફક્ત 25% હિમનદીઓ જ બચશે.

10 નદીઓની જીવન રેખા

6/9
image

હિન્દુ કુશ હિમાલય ક્ષેત્ર 10 મુખ્ય નદીઓને પાણી પૂરું પાડે છે, જેમાં ગંગા, સિંધુ, બ્રહ્મપુત્ર જેવી નદીઓનો સમાવેશ થાય છે. આ નદીઓનું પાણી ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને ચીન જેવા દેશો માટે જીવન રેખા તરીકે કામ કરે છે.

પાણી, કૃષિ અને ઉર્જાનું સંકટ

7/9
image

બરફ પીગળવાથી આ દેશોમાં પાણી, કૃષિ અને ઉર્જા સંકટ સર્જાઈ શકે છે. આ સાથે બરફ પીગળવાથી પહેલા નદીઓમાં પૂર આવશે અને પછી પાણીની અછત સર્જાશે. બરફ પીગળવાથી સમુદ્રનું સ્તર વધશે જેનાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ખતરો વધશે.

ઝડપથી પીગળી રહ્યા છે ઘણા ગ્લેશિયર

8/9
image

હિન્દુ કુશ હિમાલય અને દુનિયાના અન્ય ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે, જે લગભગ 200 કરોડ લોકો માટે ખતરો છે.  

બચાવી શકાય છે થોડો બરફ

9/9
image

જો તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવામાં આવે તો થોડો બરફ બચાવી શકાય છે.