ELI સ્કીમ શું છે? સરકાર યુવાનોને ફ્રીમાં આપશે 15000 રૂપિયા, જાણો કેવી રીતે અને કોને મળશે લાભ?

ELI Scheme: કેન્દ્ર સરકારની રોજગાર-લિંક્ડ ઈન્સેન્ટિવ (ELI) યોજના 2025 યુવાનો માટે એક સુવર્ણ તક લઈને આવી છે. આ યોજના હેઠળ પહેલીવાર નોકરી મેળવનારા યુવાનોને 15,000 રૂપિયાનું પ્રોત્સાહન મળશે.

શું છે ELI સ્કીમ?

1/9
image

કેન્દ્ર સરકારે 1 જુલાઈ 2025ના રોજ રોજગાર-લિંક્ડ ઇન્સેન્ટિવ (ELI) યોજનાને મંજૂરી આપી છે, જેનો ઉદ્દેશ્ય યુવાનોને રોજગારની તકો પૂરી પાડવા અને ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ પહેલીવાર નોકરી મેળવનારા યુવાનોને 15,000 રૂપિયાની એક વખતની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. આ રકમ બે હપ્તામાં સીધી તેમના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

યોજનાનો ઉદ્દેશ્ય અને ફાયદા

2/9
image

ELI યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાનો છે. આ અંતર્ગત કંપનીઓને નવા કર્મચારીઓની નિમણૂક પર પ્રોત્સાહન આપવામાં આવશે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોને આ યોજનાનો વધુ ફાયદો થશે. આ ઉપરાંત આ યોજના યુવાનોને રોજગારની તકો પૂરી પાડવા તેમજ તેમના કૌશલ્ય વિકાસમાં મદદરૂપ થશે.

આ યોજનાની વિશેષતાઓ શું છે?

3/9
image

પ્રોત્સાહન રકમ- પહેલીવાર નોકરી મેળવનારા યુવાનોને 15000 રૂપિયાની એક સાથે રકમ આપવામાં આવશે. આ રકમ બે હપ્તામાં યુવાનોના બેન્ક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે, જેનાથી પારદર્શિતા જળવાઈ રહેશે.

કેટલી હશે લાભાર્થીઓની સંખ્યા?

4/9
image

આ યોજનાથી લાખો યુવાનોને લાભ મળવાની સંભાવના છે. જેઓ રોજગારની તકોની શોધીમાં છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાનો અને યુવાનોને રોજગારની તકો પૂરી પાડવાનો છે.

કોણ મેળવી શકે છે આ યોજનાનો લાભ?

5/9
image

આ યોજના એવા યુવાનો માટે છે જેઓ પહેલીવાર નોકરી કરવા જઈ રહ્યા છે. 15000 રૂપિયાની સહાય બધા કર્મચારીઓને આપવામાં આવશે નહીં. 1 લાખ રૂપિયાથી વધુ પગાર ધરાવતા કર્મચારીઓ આ માટે પાત્ર રહેશે નહીં.

કંપનીઓને પણ મળશે પ્રોત્સાહન

6/9
image

આ ઉપરાંત કંપનીઓને પણ નવા કર્મચારીઓની ભરતી માટે પ્રોત્સાહનો મળશે, જેથી તેઓ વધુ સંખ્યામાં યુવાનોને રોજગારી પૂરી પાડી શકે. સરકાર કંપનીઓને ઓછામાં ઓછા 6 મહિના સુધી સતત રોજગાર ધરાવતા દરેક વધારાના કર્મચારી માટે 2 વર્ષ સુધી દર મહિને 3000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન આપશે.

ક્યાં કરવી અરજી?

7/9
image

આ યોજના હેઠળ અરજી કરવાની જરૂર નથી. કર્મચારી EPFO​​માં નોંધણી કરાવતાની સાથે જ તેનો ડેટા સરકાર પાસે જશે, ત્યારબાદ તેના આધારે કર્મચારી કે કંપનીને લાભ મળશે.

કેવી રીતે મળશે રૂપિયા?

8/9
image

સરકાર કંપનીઓ અને કર્મચારીઓના આ પ્રોત્સાહન રકમ સીધી બેન્ક ખાતામાં મોકલશે. જો કે, તમારું બેન્ક એકાઉન્ટ PAN સાથે જોડાયેલું હોવું જરૂરી છે.

યુવાનો માટે એક સુવર્ણ તક

9/9
image

કેન્દ્ર સરકારની આ પહેલ યુવાનો માટે એક સુવર્ણ તક છે. ELI યોજના દ્વારા યુવાનોને રોજગાર મળવાની સાથે-સાથે ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ વિકાસ થશે. આ યોજના રોજગાર સર્જન, કૌશલ્ય વિકાસ અને આર્થિક સમૃદ્ધિ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ યોજના દ્વારા લાખો યુવાનોને રોજગારની તકો મળશે અને તેઓ તેમના ભવિષ્યને ઘડી શકશે.