રોહિત શર્માએ તો લીધી નિવૃત્ત હવે ભારતનો આગામી ટેસ્ટ કેપ્ટન કોણ ? આ 3 ખેલાડી રેસમાં
Test Captain : ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા પછી પસંદગીકારોએ 20 જૂનથી શરૂ થતી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જનારી ભારતીય ટીમ માટે નવો કેપ્ટન શોધવો પડશે.
Test Captain : અનુભવી ભારતીય બેટ્સમેન રોહિત શર્માએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા. રોહિતે પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. ભારત આવતા મહિને ઇંગ્લેન્ડસામે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમશે. ત્યારે મોટો પ્રશ્ન એ છે કે હવે ભારતીય ટેસ્ટ ટીમની કમાન કોણ સંભાળશે ?
20 જૂનથી શરૂ થતી ભારત અને ઇંગ્લેન્ડ શ્રેણી પહેલા, રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે. 38 વર્ષીય રોહિત પોતાની કારકિર્દીના બીજા ભાગમાં ભારતનો સૌથી સફળ ટેસ્ટ બેટ્સમેન બન્યો, તેણે 67 ટેસ્ટમાં 40.57ની સરેરાશથી 4301 રન બનાવ્યા. રોહિતે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું.
જસપ્રીત બુમરાહ
રોહિત શર્મા પછી જો ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરવા માટે કોઈ મજબૂત દાવેદાર હોય તો તે નામ જસપ્રીત બુમરાહ છે. બુમરાહ આ જવાબદારી પહેલાથી જ નિભાવી ચૂક્યો છે. જો કે, મીડિયા રિપોર્ટ અનુસાર, જસપ્રીત બુમરાહને ઈંગ્લેન્ડ શ્રેણી માટે નેતૃત્વની ભૂમિકા આપવામાં આવે તેવી શક્યતા ઓછી છે. અહેવાલોમાં જણાવાયું છે કે ટીમ મેનેજમેન્ટ એક નવો ચહેરો તૈયાર કરવા માંગે છે.
શુભમન ગિલ
શુભમન ગિલને 2018માં ન્યુઝીલેન્ડમાં યોજાયેલા અંડર-19 વર્લ્ડ કપ પછી કેપ્ટનશીપનો સારો અનુભવ મળ્યો છે. તેણે ગયા વર્ષે ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન પાંચ ટી20 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, જ્યાં ભારતે 4-1 થી શ્રેણી જીતી હતી. ગિલ IPLમાં પણ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે શાનદાર કપ્તાની કરી રહ્યો છે. તેથી હવે રોહિતની નિવૃત્તિ પછી પસંદગીકારો ગિલને લાંબા સમય માટે આ પદ પર નિયુક્ત કરી શકે છે.
ઋષભ પંત
ઋષભ પંત પણ ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરવા માટે એક મજબૂત દાવેદાર છે. પંતે 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને છેલ્લા આઠ વર્ષથી તે રાષ્ટ્રીય ટીમનો ભાગ છે. વિકેટકીપર-બેટ્સમેનએ જૂન 2022માં દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણે સિરીઝ દરમિયાન પાંચ T20I મેચોમાં ભારતનું નેતૃત્વ પણ કર્યું હતું. પોતાના આંતરરાષ્ટ્રીય અનુભવ ઉપરાંત પંતે 54 IPL મેચોમાં પણ ટીમોનું નેતૃત્વ કર્યું છે. આ કેપ્ટનશિપનો અનુભવ તેને ભારતના ભાવિ કેપ્ટન તરીકે એક મજબૂત ઉમેદવાર બનાવે છે.
Trending Photos