અરબ સાગર, બંગાળની ખાડીને લઈ WMOનો ડરામણો રિપોર્ટ; મુંબઈ સહિત આ મોટા શહેરો ડૂબી જશે પાણીમાં!
WMO Report: ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જળસપાટી ચિંતાજનક રીતે વધી રહી છે. પહેલાની સરખામણીએ તેમાં ઝડપથી વધારો થતાં દરિયાકાંઠે આવેલાં શહેરો પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. જેમાં ભારતના પણ અનેક શહેરોના અસ્તિત્વ પર મોટું સંકટ છે.
આ એટલા માટે થઈ રહ્યું છે. કેમ કે આખી દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ સતત વધી રહ્યું છે. જેણે ઉત્તર ધ્રુવીયથી લઈને દક્ષિણ ધ્રુવીય પ્રદેશોનો બરફ ઓગાળવાનું કામ કર્યુ છે. WMOના રિપોર્ટમાં બીજા કયા મોટા ખુલાસા થયા? આ રિપોર્ટમાં ભારતની કઈ ઘટનાનો પણ ઉલ્લેખ કરાયો છે?
આ એકદમ સાચી વાત છે. અમે મજાક કરતા નથી. કેમ કે દુનિયાના દેશોમાં સમુદ્રની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ભારત પણ છે. કેમ કે ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાની સપાટી ચિંતાજનક રીતે વધી રહી છે.
આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે. કેમ કે વિશ્વ હવામાન સંગઠન એટલે WMOએ નવો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં અનેક મોટા અને ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. રિપોર્ટ પર નજર કરીએ તો દરિયાઈ સપાટી દર વર્ષે 3.7થી 3.8 મિલીમીટર વધી રહી છે.
હવે તેમાં વધારો થઈને તે દર વર્ષે 4 મિલીમીટર થઈ ગઈ છે. આ વધારાથી સમુદ્ર કિનારાથી 50 કિમીની ત્રિજ્યામાં અસર થઈ રહી છે. માનવીય હરકતોના કારણે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે. જેના કારણે દરિયાકાંઠાનો વિસ્તાર ઝડપથી વધી રહ્યો છે.
ભારત સહિત દુનિયામાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. સતત હવામાં ઝેરી પદાર્થો ભળવાના કારણે બરફની ચાદર અને ગ્લેશિયર પીગળવા લાગ્યા છે. આજ કારણ છે કે સમુદ્રની જળસપાટીમાં મોટો વધારો થઈ રહ્યો છે. જે દરિયાકાંઠાના વિસ્તારો અને નાના ટાપુઓ પર રહેતાં લોકો માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.
આ રિપોર્ટમાં ભારતમાં વર્ષ 2024 દરમિયાન બનેલી કુદરતી હોનારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જળવાયુ પરિવર્તનના કારણે વાયનાડ જિલ્લામાં ભયાનક ભૂસ્ખલન થયું હતું. તે સમયે 350થી વધારે લોકોનાં મોત થયા હતા. જ્યારે અનેક ગામડાઓ નેસ્તનાબૂદ થઈ ગયા હતા.
આ સિવાય રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, 2024માં ભારતના અનેક શહેરોમાં ભીષણ ગરમી પડી હતી. જેના કારણે વિવિધ વિસ્તારોમાં 450થી વધુ લોકોનાં મોત થયા. આ સિવાય વીજળી પડવાથી લગભગ 1300 લોકોનાં મોત થયા. જુલાઈમાં 5 રાજ્યમાં વીજળી પડવાથી 72 લોકોનાં મોત થયા હતા.
આ રિપોર્ટ કંઈ પહેલી ચેતવણી આપી નથી. આ પહેલાં કુદરત અનેક વખત આપણને પરચો આપી ચૂકી છે. પરંતુ હજુ સુધી આપણે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાની દિશામાં એકપણ પગલું લીધું નથી. આજ કારણ છે કે કુદરત હવે રૂઠી છે અને પોતાનો ક્રૂર મિજાજ બતાવી રહી છે. જેનાથી માત્ર વિનાશ.. વિનાશ અને વિનાશ જ થશે.
Trending Photos