हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
31 મેના સમાચાર
31 મેના સમાચાર News
અનલોક 1
અનલોક-1 માટે નાયબ મુખ્યમંત્રી બોલ્યા, આખું ગુજરાત શરતો સાથે ખુલ્લુ કર્યું છે
આવતીકાલથી સમગ્ર ગુજરાત રાજ્ય અનલોક થવા જઈ રહ્યું છે. ત્યારે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં અનલોક 1 (Unlock 1) અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, હવે અર્થતંત્રને પાટા પર લાવવું ખૂબ જરૂરી છે, તે માટે સરકારે તમામ બાબતો વિચારીને ગાઈડલાઈન જાહેર કરી છે. છૂટછાટ મળી છે તો લોકોને સ્વયંશિસ્ત કેળવવી જ પડશે. ગુજરાતમાં પણ કોરોનાને નિયંત્રિત રાખી શક્યાં છીએ. હવે વેપાર-ધંધા રોજગારની જરૂરીયાત ઉભી થઈ છે. અર્થતંત્ર ધબકતુ કરવાની જરૂર છે. આવામાં લોકો પર ભરોસો રાખીને તમામ નીતિ નિયમોનુ પાલન કરાશે. ગુજરાત બધી જ રીતે ખુલ્લુ કરી દીધું છે. 8 તારીખથી ભારત સરકારે જે ગાઈડલાઈન આપી છે તે મુજબ રાજ્યના મંદિરોને પણ દર્શન માટે ખુલ્લા મૂકીશું. જુલાઈ મહિનામાં સ્કૂલો અને કોલેજો ચાલુ રખાશે કે નહિ તેની શક્યતા જોઈને તેને પણ ખુલ્લા મૂકાશે.
May 31,2020, 22:58 PM IST
murder
કઠવાડામાં સામાન્ય ઝઘડામાં ખેલાયો ખૂની ખેલ, તીક્ષ્ણ હથિયારથી યુવકની હત્યા કરાઈ
લોકડાઉન સમયમાં ગુના આચરવાનો સિલસિલો હજી પણ યથાવત છે. કઠવાડામાં સામાન્ય ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં એક યુવકની હત્યા થઈ છે, તો બીજા બંને પક્ષના લોકોને ઇજા પહોંચી છે. નિકોલ પોલીસે હત્યાનો અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બે આરોપી અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.
May 31,2020, 22:26 PM IST
અનલોક 1
ગુજરાતમાં સોમવારથી કન્ટેઈનમેન્ટ સિવાયના ઝોનમાં STબસ સેવા શરૂ થશે, અમદાવાદનું ગીતામંદ
અનલોક 1માં રાજ્યમાં અનેક સેવાઓ શરૂ થવા જઈ રહી છે. ત્યારે બસ સેવા શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું જરૂરી પાલન થાય તે રીતે એસટી બસો શરૂ થશે. ગુજરાત સરકાર દ્વારા નક્કી કરેલા કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસોનું સંચાલન આવતીકાલે 1 જૂન, 2020થી શરૂ કરવામાં આવશે. વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુએ આ અંગેની વધુ વિગતો આપતા કહ્યું કે, આ અગાઉ 20 મેથી તદ્દન હંગામી ધોરણે શરુ કરવામાં આવેલ ઝોન વાઈઝ સંચાલનની વ્યવસ્થા હવે રદ કરવામાં આવી છે. નિગમ દ્વારા 1 જનથી બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે નક્કી કરેલા કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસ સેવાઓ સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે.
May 31,2020, 21:56 PM IST
અનલોક 1
અનલોક થવાના આગલા દિવસે ગુજરાતમાં કોરોનાના નવા 438 કેસ નોંધાયા
આજે રવિવારે રાજ્યમાં નવા 438 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 16794 પર પહોંચી ગયો છે. તો રાજ્યમાં ૩૧ લોકોના મૃત્યુ થયા છે, જેમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં 20 લોકોના થયા છે. આમ, ગુજરાતમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1038 પર પહોંચ્યો છે. તો સૌથી વધુ 689 દર્દીઓ સારવાર લઇને રિકવર થયા છે. તો કુલ રિકવરનો આંકડો 9919 થયો છે.
May 31,2020, 20:46 PM IST
Corona Warrior
આખુ પરિવાર કોરોના પોઝિટિવ, ઘરના મોભીના અંતિમ સંસ્કારમાં કોઈ સામેલ ન થઈ શક્યુ, છતાં..
‘જેને સેવા જ કરવી છે તેને મન વળી નિવૃત્તિ નો વિચાર જ કેવી રીતે આવે....? મારા પતિના અંતિમ સંસ્કાર સિવિલ તંત્રએ કર્યા. વીડિયો કોલિંગ દ્વારા મેં નિહાળ્યા.... દુ;ખ ચોક્કસ છે પરંતુ અફસોસ તો નથી જ...’ આ શબ્દો છે સિવિલ હોસ્પિટલના નર્સ ઉર્મિલાબેન પંચાલના....‘કોરોના’શબ્દ એ કંઈક લોકોની જિંદગીમાં બદલાવ લાવી દીધો છે. પરંતુ સાચા સેવકો તેમના ધ્યેયમાં આજે પણ અડીખમ ઉભા છે. તેનો પ્રત્યક્ષ દાખલો એટલે સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા બજાવતા ઉર્મિલાબેન પંચાલ છે. ઉર્મિલાબેન પંચાલ 58 માં વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે. પુત્ર અને પુત્રવધુ બંન્ને જણા મેડિકલ ક્ષેત્રમાં જ છે. દીકરી કેનેડા સેટલ થઈ છે. ઘર ખાધે-પીધે સુખી છે.
May 31,2020, 19:55 PM IST
અમદાવાદ
આવતીકાલથી અમદાવાદના તમામ બ્રિજ ખોલી દેવાશે, માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરાશે
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે લેવાઈ રહેલા અનેક પગલાઓની સમીક્ષા માટે આજે બેઠક મળી હતી. અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, અમદાવાદના જે બ્રિજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા, તે ઉઠાવી લેવામાં આવ્યો છે. આવતીકાલથી તમામ બ્રિજને અવરજવર માટે ખુલ્લા મૂકવાનો નિર્ણય લેવામા આવ્યો છે.
May 31,2020, 19:23 PM IST
અનલોક 1
અનલોક-1ની જાહેરાત થતા જ બેખોફ બન્યા લોકો, મહીસાગર નદીમાં ટોળેટોળા ન્હાતા દેખાતા
અનલોક-1ની જાહેરાત થતા જ જાણે લોકોમાંથી કોરોનાનો ભય દૂર થઈ ગયો હોય તેવો લાગે છે. સાવલીના મહીસાગર નદીમાં રવિવારે મોટી સંખ્યામાં લોકો મહીસાગર નદીમાં ન્હાવા માટે ઉમટી પડ્યા હતા. લાંછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં લોકો ન્હાતા દેખાયા હતા. લોકડાઉન હોવા છતાં નદી કિનારે લોકોના ટોળેટોળા દેખાયા હતા. આ લોકો જાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન ભૂલ્યા હોય તેમ ન્હાતા દેખાયા હતા. તો લોકો કોરોના વાયરસના ભયથી બેખોફ થયા હોય તેવું આ દ્રશ્યો જોઈને લાગ્યું હતું.
May 31,2020, 17:56 PM IST
અમદાવાદ
સોમવારથી અમદાવાદમાં AMTS- BRTS દોડશે, લિમિટેડ રુટ પર સવારે 7થી સાંજે 7 સુધી જશે
આવતીકાલથી રાજ્યભરમાં અનલોક 1 નો અમલ થવાનો છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) માં પણ છૂટછાટ મળશે. આવામાં અનલોક-1ને લાગુ કરવા માટે Amc દ્વારા પણ વિવિધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એએમસી દ્વારા Amts-brts બસ સેવા શરૂ કરાશે. જોકે, કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં જ આ બસ સેવા શરૂ થશે. આ કારણે નિયત સંખ્યા કરતા અડધી સંખ્યામાં જ બસો દોડશે. મુસાફરોની ક્ષમતા પણ અડધી જ રાખવામાં આવશે. હાલ, બસોના ડ્રાઈવર તથા કંડક્ટરોને સોશિયલ ડિસ્ટન્સિંગનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ માટે Brts બસમાં વિશેષ સ્ટીકર લગાવાયા છે, જેમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું કેવી રીતે પાલન કરવું તે સમજાવાશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે ખાસ વ્યવસ્થા હશે. ડ્રાઇવરો માસ્ક, ગ્લોવ્ઝ અને સેનેટાઇઝર આપવામાં આવશે.
May 31,2020, 17:26 PM IST
Trending news
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન