મનરેગા કૌભાંડનો રેલો કોંગ્રેસના દિગ્ગજ નેતા સુધી પહોંચ્યો, ભરૂચ પોલીસે કરી હીરા જોટવાની અટકાયત
Congress Leader Hira Jotva Detain : મનરેગા કૌભાંડમાં હીરા જોટવાની ભરૂચ પોલીસે કરી અટકાયત, બે એજન્સીના માલિકો સાથેના કનેક્શન શોધવા SITની મથામણ
Trending Photos
Dahod Manrega Scam : ભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની અટકાયત કરવામાં આવી છે. પૂછપરછ બાદ ભરૂચ પોલીસ તેમની સામે ગુનો દાખલ કરી શકે છે. હીરા જીતવાની ગીર સોમનાથથી ભરૂચ પોલીસે અટકાયત કરી છે.
ભરૂચ જિલ્લાના 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડનું મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું. આ કેસમાં ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. હવે આ મામલે ભરૂચ પોલીસે કોંગ્રેસ નેતા હીરા જોટવાની ગીર સોમનાથથી અટકાયત કરી છે. હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
કોણ છે હીરા જોટવા
હીરાભાઈ જોટવા ત્રણ પેઢીથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, પોતે ખેડૂત નેતા છે. સાથે સાથે શૈક્ષણિક જગતમાં પણ અનેક સંસ્થાઓનું સર્જન કરી ચૂક્યા છે. જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા ખેડૂત અગ્રણી અને શૈક્ષણિક વ્યવસાય સાથે જોડાયેલ હીરાભાઈ જોટવાને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.
એક સરકારી અધિકારીની ધરપકડ
તાજેતરમાં મનરેગા કોભાંડમાં વધુ એક સરકારી કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. દાહોદના મનરેગા કૌભાંડમાં પોલીસે DRDA કચેરીના તત્કાલીન ઇન્ચાર્જ ડેપ્યુટી DPC ની ધરપકડ કરી હતી. વર્ક મેનેજર તરીકે DRDA માં ફરજાધીન હમીદઅલી આલમની ધરપકડ કરવામાં આવી છે. લાયકાતથી ઉપર ડેપ્યુટી DPC નો ચાર્જ આપવામાં આવ્યો હતો. તે લાયકાત વગર ઈન્ચાર્જ ડેપ્યુટી DPC તરીકે કામ કરતો હતો. હમીદઅલી આલમને કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયાહ તા.
શું છે આ સમગ્ર કૌભાંડ
દાહોદ જિલ્લામાં નકલી NA જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (મનરેગા) માં હેઠળ કરવાના થતા કામોમાં અધધ કહી શકાય તેમ તેવી નીતિરીતિ અખત્યાર કરી ખોટા દસ્તાવેજૉ ઊભા કરી નાણાકીય વર્ષ 2021 થી 2025 વચ્ચે એટલે કે ચાર વર્ષનો સમયગાળા દરમિયાન દેવગઢબારિયા તાલુકાના કુવા તેમજ રેઢાણા તથા ધાનપુરના સીમામોઇ સહિત ત્રણ ગામોમાં મનરેગાના કામોમાં માત્ર દેખાડા પૂરતું કામ કરી સમગ્ર કમ્પ્લિટિશન સર્ટી રજૂ કરી જે એજન્સીના નામનું કોન્ટ્રાક્ટ હતો. તેને બદલે અન્ય એજન્સીઓને આ જન કલ્યાણ યોજના અંતર્ગત સામૂહિક કામોના નાણાં બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને ચૂકવી સરકારી અધિકારી કર્મચારી,વિગેરેની મિલીભગતથી કરોડોની રકમ પોતાના આર્થિક લાભ માટે ઉઠાવી અને કીમતી દસ્તાવેજોને ખરા તરીકે ઉપયોગ કરી મસમોટું કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યું છે. જેમાં પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ બાદ વચગાળાના અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યો હતો. જે બાદ પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદના આધારે દેવગઢ બારીયાની 28 તેમજ ધાનપુર તાલુકાની 7 મળી માલ સપ્લાય કરતી કુલ ૩૫ એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કરતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મનરેગામાં કરોડોનું કૌભાંડ
અત્રે ઉલ્લેખનીય છે કે આ તો ત્રણ જ ગામની સ્થળ ચકાસણીમાં દેવગઢ બારીયાના 60.90 કરોડ તેમજ ધાનપુરના 10.10 કરોડ મળી કુલ 71 કરોડની ગેરરીતી સામે આવી છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે સમગ્ર જિલ્લાભરમાં મનરેગાના કામોની સ્થળ ચકાસણી અને મંજુર થયેલા બિલોની સરખામણી કરવામાં આવે તો આ કૌભાંડ નો આંકડો કેટલો પહોંચે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જોકે આ કૌભાંડ સામુહિક યોજના ના હોય પોલીસે પંચાયતના મનરેગાના નિયુક્ત કરેલા અધિકારીઓ જોડે લાયઝનિંગ રહી કામ કરવા એસઆઇટીની ટીમ બનાવી તપાસનો દોર લંબાવ્યો છે. દાહોદ પોલીસ દ્વારા ગુનો નોંધી 4 જેટલા અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. તાલુકા પંચાયતના આઉટસોર્સિંગ ACCOUNT ASSISTANT કર્મચારી જયવીર નાગોરી, મહિપાલ સિંહ ચૌહાણ GRS ગ્રામ રોજગાર સહાયકની પણ ધરપકડ કરવામાં આવી બારીયા ફુલસિંહ રમેશ, મંગળ સિંહ પટેલીયાની ધરપકડ કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે