યુદ્ધ, બીમારી અને વિનાશ... બસ થોડા દિવસો અને પછી ચારેતરફ મચશે તબાહી! 2025ને લઈ નોસ્ટ્રાડેમસ આ શું લખી ગયા?
Nostradamus Predictions: નોસ્ટ્રાડેમસે 2025ને લઈને પણ ઘણું લખ્યું છે. તેમની કવિતાઓ વાંચ્યા પછી કેટલાક લોકોએ એવો અર્થ કાઢી રહ્યા છે કે, આ વર્ષ દુનિયા માટે ખૂબ જ મુશ્કેલ રહેવાનું છે. ચાલો જાણીએ નોસ્ટ્રાડેમસે તેમની કવિતાઓમાં શું લખ્યું છે.
નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી
દુનિયાના સૌથી મોટા ભવિષ્યવક્તાઓમાંથી એક ગણાતા નોસ્ટ્રાડેમસ તેમના મૃત્યુ પછી સેંકડો વર્ષો પછી પણ ચર્ચામાં બન્યા રહ્યા રહે છે. સેંકડો વર્ષ પહેલાં કરેલી તેમની ભવિષ્યવાણીઓ આજે પણ સચોટ છે. આવી સ્થિતિમાં લોકો તેમને રસપૂર્વક વાંચવાનું પસંદ કરે છે. આજે આ સમાચારમાં અમે તમને 2025 માટે તેમની દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
યુદ્ધને લઈ ભવિષ્યવાણી
એક રિપોર્ટ અનુસાર ફ્રેન્ચ જ્યોતિષી નોસ્ટ્રાડેમસે 2025ને લઈને કહ્યું હતું કે, ઘણા યુદ્ધો થશે અને અશાંતિ ફેલાશે. તેમણે કહ્યું હતું કે, દુનિયાની અંદર અને બહાર દુશ્મનો માથું ઉંચકશે અને પછી ખૂબ જ ભયંકર યુદ્ધો થશે. તેમની આ ભવિષ્યવાણી પર નજર કરીએ તો આ બધું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
જૂની બીમારીની વાપસી
આ ઉપરાંત તેમણે જૂની બીમારીઓની વાપસીને લઈ પણ એક મોટી વાત કહી હતી. એવું કહેવાય છે કે, ઈંગ્લેન્ડમાં ફરીથી પ્લેગ જેવા ભયંકર બીમારીઓ ફરીથી પાછી આવી શકે છે. નોસ્ટ્રાડેમસના મતે 'એક જૂની મહામારી પાછી આવશે જે આકાશ નીચે સૌથી ખતરનાક દુશ્મન સાબિત થશે.'
ખગોળીય ભવિષ્યવાણી
આ ઉપરાંત તેમણે ખગોળીય તબાહીને લઈ પણ મોટા સંકેતો આપ્યા હતા. એક જાણકારી અનુસાર તેમણે એક કવિતામાં 'અગ્નિનો ગોળો'નો ઉલ્લેખ કર્યો છે જે બ્રહ્માંડમાંથી આવશે અને ધરતી પર કહેર મચાવશે.
ડરવાની જરૂર નથી
આ બધી ભવિષ્યવાણીઓ વાંચ્યા પછી ડરવાની જરૂર નથી. કારણ કે જ્યાં સુધી કોઈ મજબૂત વૈજ્ઞાનિક પુરાવા ન હોય ત્યાં સુધી આવી ભવિષ્યવાણીઓથી ડરવું જોઈએ નહીં. જો કે, કેટલાક રિપોર્ટ્સ એવો પણ દાવો કરવામાં આવે છે કે, તેમના દ્વારા કરવામાં આવેલી ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. ચાલો જાણીએ કે તે દાવો શું છે.
નોસ્ટ્રાડેમસની સાચી પડેલી ભવિષ્યવાણીઓ
નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણીઓ તેમની કવિતાઓ સાથે જોડાયેલી છે. તેમની ઘણી કવિતાઓ પછીથી દુનિયામાં બનેલી મોટી ઘટનાઓ સાથે જોડાયેલી છે. જેમ કે, ફ્રેન્ચ ક્રાંતિ, એડોલ્ફ હિટલરનો ઉદય, 9/11 હુમલો, અમેરિકી રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડીની હત્યા. જો કે, અમે ફરીથી પુનરાવર્તન કરીશું કે, તેમની કવિતાઓ ખૂબ જ અસ્પષ્ટ હતી, જે સંપૂર્ણપણે સચોટ અર્થઘટન આપતી નહોતી. એટલે કે, ઘણા જુદા-જુદા લોકો તેમની કવિતાઓમાંથી પોતાના અર્થ મેળવી શકે છે.
કોણ હતા નોસ્ટ્રાડેમસ?
નોસ્ટ્રાડેમસ (Michel de Nostredame)ને એક ફ્રેન્ચ જ્યોતિષી તરીકે ઓળખવામાં આવે છે. જો કે, તેઓ એક ડૉક્ટર અને લેખક પણ હતા, જેનો જન્મ 1503માં થયો હતો અને 1566 સુધી જીવ્યા હતા. એવું કહેવાય છે કે, તેમણે એક પુસ્તક લખ્યું હતું જેનું નામ 'લેસ પ્રોફેટીઝ' (Les Propheties) હતું. આ પુસ્તકમાં લગભગ 1000 ટૂંકી કવિતાઓ છે અને તેમની આ જ કવિતાઓમાં કહેવામાં આવેલી વાતો ભવિષ્યવાણી સાથે જોડવામાં આવે છે.
Disclaimer: આ સમાચાર લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos