100 વર્ષ બાદ આવો સંયોગ...3 રાશિવાળાનું ભાગ્ય પલટી મારશે, બંપર ધનલાભના યોગ! દુશ્મનો પીછેહટ કરવા મજબૂર થશે
વૈદિક પંચાંગ મુજબ પિતૃ પક્ષમાં આ વર્ષે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ પડનાર છે. જેનાથી કેટલીક રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે....
વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે પિતૃ પક્ષની શરૂઆત 7 સપ્ટેમ્બરથી થઈ રહી છે અને તે 7 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આવામાં ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર અને સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બરે થવાના છે. ત્યારે આ ગ્રહણોના કારણે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ લોકોની આવકમાં વધારો અને નોકરીમાં પદોન્નતિ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ દરમિયાન તમારી આવકમાં વધારો થઈ શકે છે. આવકના નવા નવા સોર્સ બની શકે છે. રચનાત્મક કાર્યો કે નવી ડીલથી લાભ થશે. સામાજિક છબી એટલી મજબૂત થશે કે દુશ્મનો પીછેહટ કરશે. કાર્યશૈલીમાં નિખાર આવશે. લોકપ્રિયતા વધશે. માન સન્માન વધશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ શુભદાયી સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા કામકાજમાં પ્રગતિ થશે. રોકાણથી લાભના યોગ છે. અચાનક ધનલાભ થઈ શકે છે. કોઈ જૂનું રોકાણ કે જમીન સંપત્તિથી લાભ થવાની શક્યતા છે. ધનની બચત કરી શકશો. નોકરીયાતોની પદોન્નતિ થઈ શકે છે. વિચારેલી યોજનાઓ સફળ થઈ શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે ચંદ્ર અને સૂર્ય ગ્રહણ સકારાત્મક સિદ્ધ થઈ શકે છે. તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. કોઈ જૂનું રોકાણ કે નવી તક તમારી સામે આવી શકે છે. નોકરી વ્યવસાયમાં પ્રગતિ થશે. સામાજિક માન સન્માન વધશે અને પરિવારમાં માંગલિક કાર્યો થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. ઈચ્છાઓ પૂરી થશે. કાનૂની મામલાઓનું પરિણામ તમારા પક્ષે આવી શકે છે. કરિયરમાં નવી સિદ્ધિઓ સર કરશો.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos