અપાર ધન અને સુખ-સમૃદ્ધિ આપશે મંગળ-શનિનો આ શક્તિશાળી યોગ, 5 રાશિઓ બનશે ધનવાન
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ્યારે કોઈ ગ્રહ પોતાનું સ્થાન બદલે છે તો બીજા ગ્રહોની સાથે શુભ અને મંગળકારી યોગનું નિર્માણ પણ કરે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણના અનુસાર 9 ઓગસ્ટે મંગળ-શનિ મળી પ્રતિયુતિ દ્રષ્ટિ નામના ખાસ યોગનું નિર્માણ કરશે.
શનિ-શુક્રનો શક્તિશાળી યોગ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પ્રતિયુતિ દ્રષ્ટિ યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહ એક બીજાથી 180 ડિગ્રી કોણ પર સ્થિત રહે છે. આ શક્તિશાળી યોગ જીવનમાં સ્થાયી સફળતા, સમૃદ્ધિ અને કર્મોનું ફળ પ્રદાન કરનાર હોય છે. આવો જાણીએ આ યોગ કઈ પાંચ રાશિઓ માટે શુભ છે.
વૃષભ રાશિ (Taurus)
મંગળ-શનિ બંને વૃષભ રાશિનો કારક ગ્રહ છે, આ કારણે પ્રતિયુતિ દ્રષ્ટિ યોગ આ રાશિના જાતકોને નાણાકીય સમૃદ્ધિ, નોકરીમાં પ્રગતિ અને સંપત્તિના મામલામાં અપાર લાભ થશે. આ દરમિયાન નોકરીમાં પ્રમોશનનો લેટર મળી શકે છે. કારોબારીઓને આ દરમિયાન જબરદસ્ત આર્થિક લાભ થશે. પરિણીત લોકોનું લગ્ન જીવન ખુશ રહેશે.
કર્ક રાશિ (Cancer)
કર્ક રાશિના જાતકો માટે મંગળ-શનિનો યોગ અત્યંત મંગળકારી છે. આ દરમિયાન શુક્ર દેવની કૃપાથી ધન અને ઐશ્વર્યમાં વધારો થશે. આ દરમિયાન જૂના અટવાયેલા કાર્ય પૂરા થશે. આવકમાં વધારો અને પરિવારમાં સુખ-શાંતિ બનેલી રહેશે.
તુલા રાશિ (Libra)
તુલા રાશિના જાતકોને મંગળ-શનિની પ્રતિયુતિ દ્રષ્ટિ યોગથી નોકરીમાં નવી તક મળશે. આ દરમિયાન વેપાર કરનારને જબરદસ્ત લાભ થશે. મન પ્રસન્ન રહેશે અને પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. દાંપત્ય જીવન ખુશહાલ રહેશે.
મકર રાશિ (Capricorn)
મંગળ-શનિનો પ્રતિયુતિ દ્રષ્ટિ યોગ મકર રાશિના જાતકો માટે ખૂબ અનુકૂળ છે. આ દરમિયાન નોકરીમાં પગાર વધારો મળી શકે છે. કરિયરમાં પ્રગતિ થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિનો યોગ છે. કારોબારમાં આર્થિક સ્થિતિ પહેલાથી સારૂ થશે. અચાનક ધનલાભ થઈ શકે છે.
મીન રાશિ (Pisces)
મંગળ-શનિનો પ્રતિયુતિ દ્રષ્ટિ યોગ મીન રાશિના જાતકો માટે અત્યંત શુભ અને મંગળકારી છે. આ શક્તિશાળી યોગના શુભ પ્રભાવથી નોકરીમાં પ્રગતિ થશે. વેપારીઓને આ દરમિયાન આકસ્મિક મોટો ધાર્મિક લાભ જોવા મળશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે અને જૂના રોગથી મુક્તિ મળશે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos