સૂર્ય-શનિ 17 ઓગસ્ટે બનાવશે ખૂબ જ ખતરનાક ષડાષ્ટક યોગ, આ 4 રાશિઓની વધી શકે છે સમસ્યા; કરશે ધનોતપનોત!

Shadashtak Yoga: સૂર્ય અને શનિ 17 ઓગસ્ટના રોજ ષડાષ્ટક યોગ બનાવશે અને આ યોગ 1 મહિના સુધી રહેશે. આના કારણે કેટલીક રાશિઓને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે.

સૂર્ય-શનિનો ષડાષ્ટક યોગ

1/6
image

17 ઓગસ્ટના રોજ સૂર્ય કર્ક રાશિમાંથી નિકળીને સિંહ રાશિમાં ગોચર કરશે. સૂર્યના આ ગોચરને કારણે શનિ અને સૂર્યના ષડાષ્ટક યોગનું નિર્માણ થશે. આ યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો એકબીજાથી છઠ્ઠા અને આઠમા ભાવમાં બેઠા હોય છે. તમને જણાવી દઈએ કે, 17 ઓગસ્ટના રોજ શનિ સૂર્યના આઠમા ભાવમાં હશે અને સૂર્ય શનિથી છઠ્ઠા ભાવમાં હશે. આવી સ્થિતિમાં ષડાષ્ટક યોગ બનાવાને કારણે કેટલીક રાશિના જાતકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ કે, આ રાશિઓ કઈ છે અને કયા ઉપાયોથી તેમને ફાયદો થઈ શકે છે.

વૃષભ રાશિ

2/6
image

સૂર્ય અને શનિનો ષડષ્ટક યોગ પારિવારિક જીવનમાં સમસ્યાઓનું કારણ બની શકે છે. ઘરના કેટલાક લોકો તમારા વિશે ખોટી ધારણા બનાવી શકે છે, આ સમય દરમિયાન તમારી વાત સ્પષ્ટ રાખો. તમે સખત મહેનત કરશો, પરંતુ અપેક્ષિત પરિણામ ન મળવાને કારણે તમે દુઃખી થઈ શકો છો. તમારે ધીરજ રાખવી પડશે, સારો સમય ચોક્કસ આવશે. આ સમય દરમિયાન બિનજરૂરી ખર્ચ પણ તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે. ઉપાય તરીકે વૃષભ રાશિના જાતકોએ સવારે સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ.

કન્યા રાશિ

3/6
image

કન્યા રાશિના જાતકોને ષડાષ્ટક યોગ બનવાને કારણે નાણાકીય નુકસાન થઈ શકે છે. આ સમય દરમિયાન તમારે વ્યવહાર કરતી વખતે ખૂબ કાળજી રાખવી પડશે. ઓનલાઈન ફ્રોડથી બચો. નોકરી કરતા જાતકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, વધુ પડતા કામના ભારણથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે. ઉદ્યોગપતિઓએ કોઈની સાથે વ્યવસાયિક વ્યૂહરચના શેર ન કરવી જોઈએ. ઉપાય તરીકે તમારે શિવ ચાલીસીનો પાઠ કરવો જોઈએ, તે ફાયદાકારક રહેશે.

મકર રાશિ

4/6
image

મકર રાશિના જાતકોને ષડાષ્ટક યોગના કારણે માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે તમારા ભવિષ્ય વિશે ચિંતિત રહેશો, જો કે, ચિંતા કરવાને બદલે, તમારે તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અનુકૂળ સમય પણ આવશે. આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથે અણબનાવ થવાની સંભાવના છે, તેથી વાતચીત દરમિયાન તમારા શબ્દોનો કાળજીપૂર્વક ઉપયોગ કરો. તમારી નજીકની કોઈ વ્યક્તિ તમને દગો આપી શકે છે, સાવચેત રહો. ઉપાય તરીકે મકર રાશિના જાતકોએ શનિવારે શક્ય તેટલું ખોરાક, કપડાં અથવા રૂપિયાનું દાન કરવું જોઈએ.

મીન રાશિ

5/6
image

તમે કાર્યક્ષેત્રમાં એકલા પડી શકો છો. તમને ખ્યાલ આવશે કે તમારા શુભેચ્છકો હોવાનો ડોળ કરનારા લોકો તમારા કામમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી તમારે ઓફિસમાં તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, તો જ પરિસ્થિતિ સુધરશે. પારિવારિક જીવનમાં પરિવારના કોઈ સભ્યનું ખરાબ સ્વાસ્થ્ય તમને ચિંતામાં મૂકી શકે છે. આ સમય દરમિયાન સંચિત સંપત્તિ પણ તમારી ઇચ્છા વિના ખર્ચાઈ શકે છે. આ સમય દરમિયાન માતાપિતાએ તેમના બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. ઉપાય તરીકે ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો.

6/6
image

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.