Astro Tips: શનિ, રાહુ કે કેતુના દોષથી પરેશાન છો ? ઘરની બહાર આ દિશામાં વાવો આ છોડ, જીવનમાં શાંતિ થઈ જશે
Astro Tips: જો તમારી રાશિની શનિની સાડાસાતી, ઢૈયા ચાલી રહી હોય અથવા તો કુંડળીમાં રાહુ કે કેતુ સંબંધિત દોષ હોય તો તેનાથી છુટકારો અપાવે એવો સરળ ઉપાય આજે તમને જણાવીએ.
Trending Photos
Astro Tips: શું તમારા જીવનમાં પણ એવું થાય છે કે બધું બરાબર ચાલતું હોય અને અચાનક જ સમસ્યા આવી જાય ? ઘરમાં ધનની આવક સારી એવી હોય છતાં પણ અણધાર્યા ખર્ચામાં બચત પૂરી થઈ જાય ? પરિવારમાં શાંતિનું વાતાવરણ હોય અને અચાનક જ ઝઘડો થઈ જાય ? કોઈને કોઈ કારણસર ઘરમાં આર્થિક સમસ્યા વારંવાર આવતી રહે ? જો તમારી સાથે પણ આવું વારંવાર થાય છે તો જ્યોતિષશાસ્ત્ર કહે છે કે આ સમસ્યાનું એક કારણ શનિ, રાહુ અને કેતુ જેવા ગ્રહનો અશુભ પ્રભાવ પણ હોઈ શકે છે. રાહુ, શનિ અને કેતુને ક્રૂર ગ્રાહક માનવામાં આવે છે તેના અશુભ પ્રભાવના કારણે અણધારી મુસીબતો આવે છે. જો તમારા જીવનમાં પણ આવું થતું હોય તો ગભરાવાની જરૂર નથી. આ સમસ્યાથી રાહત મેળવવાનો ઉપાય જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલો છે.
હિન્દુ ધર્મમાં લીમડાના ઝાડનું ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વ દર્શાવેલું છે. લીમડાનું ઝાડ પવિત્ર છે. લીમડાને નિમાળી દેવીનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે. જે જગ્યાએ આ ઝાડ હોય છે ત્યાં નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર લીમડાનો સંબંધ શનિ, મંગળ, કેતુ, રાહુ ગ્રહ સાથે છે. જો આ ગ્રહની અશુભ સ્થિતિના કારણે જીવનમાં અકારણ સમસ્યા આવતી હોય તો લીમડાનું ઝાડ આ દોષને શાંત કરવામાં મદદ કરશે. આ સિવાય શનિની સાડાસાતી કે ઢૈયા ચાલી રહી હોય તેમના માટે પણ લીમડાનું ઝાડ લાભકારી સિદ્ધ થઈ શકે છે. શનિ સંબંધિત પીડાથી રાહત મેળવવી હોય તો લીમડાના ઝાડની પૂજા કરવી અને લીમડામાં પાણી રેડવું શુભ રહે છે.
ઘરમાં કઈ દિશામાં લીમડાનું ઝાડ રાખવું ?
લીમડાનું ઝાડ જો ઘરમાં લગાડવું હોય તો સૌથી શુભ દિશા દક્ષિણ દિશા છે. દક્ષિણ દિશાનો સંબંધ શનિ અને મંગળ સાથે છે. ઘરની દક્ષિણ દિશામાં લીમડાનો છોડ રાખવાથી નકારાત્મક શક્તિઓ ઘરથી દૂર થાય છે અને બરકત વધે છે. સાથે જ અટકેલા કામ પણ ફરીથી શરૂ થઈ જાય છે.
લીમડાના ઝાડના અન્ય લાભકારી ઉપાય
- ધાર્મિક માન્યતા અનુસાર નિયમિત રીતે લીમડાને પાણી ચઢાવવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે અને મંગળ ગ્રહનો દોષ દૂર થાય છે.
- જ્યોતિષશાસ્ત્ર અનુસાર લીમડાની માળા પહેરવાથી શનિના અશુભ પ્રભાવથી બચી શકાય છે.
- લીમડાના લાકડાથી હવન કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં શાંતિ વધે છે.
- ઘરમાં લીમડાના પાનનો ધુમાડો કરવાથી નજર દોષ અને નકારાત્મક શક્તિઓની અસર દૂર થઈ જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે