રેલવેના મુસાફરો માટે ખુશખબર! હવે 4 નહીં... ટ્રેન ઉપડવાના આટલા કલાક પહેલા તૈયાર થશે રિઝર્વેશન ચાર્ટ
New Train Rules: ભારતીય રેલવેએ મુસાફરો માટે ટિકિટ બુકિંગ અને મુસાફરીનો અનુભવ સુધારવા માટે અનેક સુધારાઓની જાહેરાત કરી છે. તાજેતરમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ફેરફારોની સમીક્ષા કરી, ટેક-સેવી રેલવે મંત્રીએ સ્માર્ટ, પારદર્શક, સુલભ અને કાર્યક્ષમ ટિકિટિંગ સિસ્ટમની જરૂરિયાત પર ભાર મૂક્યો.
Trending Photos
New Indian Railways Systems: જો તમે ભારતીય રેલવેમાં મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. વાસ્તવમાં, હવે ભારતીય રેલવે ટિકિટિંગ અને રિઝર્વેશન પ્રક્રિયામાં વ્યાપક સુધારા તરફ પગલાં લેવા માટે સતત મોટા પગલાં લઈ રહી છે. જ્યારે 1 જુલાઈથી તત્કાલ ટિકિટ બુકિંગના નિયમો બદલાવા જઈ રહ્યા છે, ત્યારે હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે બોર્ડના પ્રસ્તાવ સાથે સંમતિ આપી છે, જેમાં ટ્રેન રવાના થાય તેના આઠ કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું.
શું મોટો ફેરફાર?
પ્રસ્તાવિત મુખ્ય ફેરફારોમાંનો એક રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાની પ્રક્રિયામાં સુધારો છે. રેલવેમાં જે ફેરફારો થવાના છે તેમાં રેલવે બોર્ડે હવે ટ્રેનોના પ્રસ્થાનના 8 કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જ્યારે અગાઉ રિઝર્વેશન ચાર્ટ ટ્રેનના પ્રસ્થાનના 4 કલાક પહેલા તૈયાર કરવામાં આવતો હતો.
તબક્કાવાર અમલમાં મુકાશે
રેલવે બોર્ડે પેસેન્જર ટ્રેનના ઉપડવાના આઠ કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને આ સાથે સંમત થતાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા આપી છે. રેલવે મંત્રીએ અધિકારીઓને આ પ્રસ્તાવને તબક્કાવાર અમલમાં મૂકવા નિર્દેશ આપ્યો છે. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે આ રેલવે તરફથી ભેટથી ઓછું નથી. ખાસ વાત એ છે કે તે વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરો માટે વધુ માહિતી આપી શકશે.
The railway board has proposed preparing the reservation chart eight hours before the departure. For trains departing before 1400 hours, the chart will be prepared the previous day at 2100 hours. The new PRS (Passenger Reservation System) will allow over 1.5 lakh ticket bookings… pic.twitter.com/P1BVNDrahw
— ANI (@ANI) June 29, 2025
છેલ્લી ઘડીની રાહનો અંત આવશે
રેલવેના આ પગલાથી હવે તેમની ટ્રેન ટિકિટ બુક કરાવ્યા પછી મુસાફરોને વેઇટિંગ લિસ્ટની પુષ્ટિ વિશે ખૂબ અગાઉથી માહિતી મળી જશે અને તેમને છેલ્લી ઘડી સુધી રાહ જોવી પડશે નહીં. આવી સ્થિતિમાં જે મુસાફરોની ટિકિટ કન્ફર્મ નથી થઈ તેમને હવે અન્ય મુસાફરી વિકલ્પો પસંદ કરવા માટે વધુ સમય મળશે. રેલવે મંત્રીને આ સંદર્ભમાં ઘણા પ્રસ્તાવ મળી રહ્યા હતા.
1 જુલાઈથી રેલવે આ ફેરફાર કરી રહી છે
ભારતીય રેલવે રેલ મુસાફરોની સુવિધા માટે સતત પગલાં લઈ રહી છે અને આ અંતર્ગત 1 જુલાઈ 2025થી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આમાંના એકમાં રેલવે દ્વારા તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફારનો સમાવેશ થાય છે. આ અંતર્ગત પહેલી તારીખથી હવે ફક્ત આધાર-વેરિફાઇડ યુઝર્સ જ IRCTC વેબસાઇટ અથવા એપ પર તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે