ઐશ્વર્યાએ મુસ્લિમ ધર્મ સ્વીકારીને સલમાન ખાન સાથે કર્યા હતા લગ્ન? આખરે શું હતો મામલો
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નને 18 વર્ષ થઈ ગયા છે. પરંતુ શું તમે જાણો છો કે અભિષેક પહેલા પણ ઐશ્વર્યા એકવાર લગ્નના કારણે ચર્ચામાં હતી અને જે વાત સામે આવી હતી તેને સાંભળીને બધા દંગ રહી ગયા હતા. જાણો શું હતો મામલો.
Trending Photos
આ એ દિવસોની વાત છે જ્યારે ઐશ્વર્યા રાયને બોલીવુડના હેન્ડસમ એક્ટર સલમાન ખાન સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેના પ્રેમના ગલીએ ગલીએ ચર્ચા હતી. જો કે આ સંબંધ માંડ 3 વર્ષ ચાલ્યો હતો. પરંતુ તેણે ખુબ ચર્ચા જગાવી હતી.
જ્યારે ઐશ્વર્યા સલમાન ખાનને ડેટ કરતી હતી ત્યારે એવી અટકળો ફેલાઈ હતી કે કપલે ગૂપચૂપ લગ્ન કરી લીધા છે. એવો પણ દાવો કરાયો હતો કે ઐશ્વર્યાએ સલમાન ખાન સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ કબૂલ કર્યો હતો. એટલું જ નહીં પછી જો એવા પણ સમાચાર આવ્યા જેમાં દાવો થયો હતો કે ઐશ્વર્યા રાય અને સલમાન ખાનના લગ્ન લોનાવાલાના એક બંગ્લામાં થયા હતા. આ નિકાહ સેરેમની હતી. જેને મુંબઈના એક કાઝીએ પૂરી કરાવી હતી. એવું કહેવાયું હતું કે લગ્નમાં સલમાન ખાન અને ઐશ્વર્યાના નીકટના મિત્રો સામેલ હતા.
જ્યારે ઐશ્વર્યા અને સલમાન ખાનના નિકાહના સમાચાર સામે આવ્યા તો દરેક જણ ચોંકી ગયા હતા. એમાં પણ જ્યારે કથિત રીતે બંને મુંબઈમાં સાથે જોવા મળ્યા તો અટકળોની આગ મોટી થઈ. દાવો કરાયો કે તેઓ ન્યૂયોર્કથી હનીમૂન મનાવીને પાછા ફર્યા છે. ઐશ્વર્યાના પેરેન્ટ્સ પહેલેથી જ સલમાન ખાન સાથે તેના લગ્નની વિરુદ્ધમાં હતા. પછી જ્યારે નિકાહના સમાચાર આવ્યા તો મુશ્કેલીઓ વધી ગઈ. જે ફિલ્મ પ્રોડ્યૂસર્સ તે વખતે ઐશ્વર્યા સાથે કામ કરતા હતા તેમને પોતાના પ્રોજેક્ટ્સ અંગે ચિંતા થવા લાગી હતી.
અફવાઓ જ્યારે ઠંડી ન પડી તો ઐશ્વર્યા રાયે પોતે સામે આવીને આ મામલે વાતચીત કરવી પડી હતી. ઈન્ટરેક્શન દરમિયાન ઐશ્વર્યાએ આ સમાચારો ફગાવ્યા અને એમ પણ કહ્યું કે જો આવું કહી હોત તો આખી ઈન્ડસ્ટ્રીને ખબર હોત. ઐશ્વર્યાએ એમ પણ કહ્યું હતું કે લગ્ન જેવા મામલાઓમાં સત્ય છૂપાવવા જેવી કોઈ વાત નથી. ઐશના જણાવ્યાં મુજબ જો આવું કઈ હોત તો તેઓ ખુશી ખુશી વાત બધાને જણાવત. ઐશ્વર્યાએ આ દરમિયાન નિકાહના સમાચારોને પાયાવિહોણા ગણાવ્યાં હતાં અને કહ્યું હતું કે તેમની પાસે લગ્ન માટે સમય નથી. ખાસ કરીને ત્યારે જ્યારે તેની માતા એક અકસ્માત બાદ રિકવર થઈ રહ્યા હતા.
ઐશ્વર્યા અને સલમાન ખાનનું અફેર ફિલ્મ હમ દીલ દે ચૂકે સનમના સેટથી શરૂ થયું હતું. જે 1999માં રિલીઝ થઈ હતી. 2002માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. સલમાન ખાનથી અલગ થયા બાદ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ સુપરસ્ટારના પઝેસિવ હોવા અંગે, દુર્વ્યવ્હાર અને મારપીટનો પણ આરોપ લગાવ્યો હતો. જો કે સલમાને આ આરોપો ફગાવ્યા હતા.
સલમાન ખાન સાથે બ્રેકઅપ બાદ ઐશ્વર્યાનું નામ વિવેક ઓબોરોય સાથે જોડાયું હતું. બાદમાં 20 એપ્રિલ 2007ના રોજ ઐશ્વર્યાએ અભિષેક સાથે લગ્ન કર્યા અને તેઓ 18 વર્ષથી એકબીજાનો સાથ નિભાવી રહ્યા છે. કપલની 13 વર્ષની પુત્રી આરાધ્યા બચ્ચન છે જેનો જન્મ 11 નવેમ્બર 2011ના રોજ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે