રીલ બનાવવાના ચક્કરમાં ફતેવાડી કેનાલમાં ખાબકી કાર, 3 યુવકો લાપતા; સર્ચ ઓપરેશન હાથ ધરાયું
Ahmedabad: અમદાવાદનાં વાસણામાં આવેલી ફતેવાડી કેનાલમાં આજે સાંજના સમયે એક સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકી હતી. જો કે, સાંજના સમયે એકાએક કાર કેનાલમાં પડી જવાના કારણે સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
Trending Photos
Ahmedabad: અમદાવાદનાં વાસણામાં આવેલી આવેલા ફતેવાડી કેનાલ નજીક રીલ બનાવતા યુવકો કાર સાથે કેનાલમાં પડ્યા હતા. ત્રણ યુવકોએ સ્કોર્પિયો કાર ભાડેથી લઈને રીલ બનાવવા સારું ફતેવાડી કેનાલ આવ્યા હતા. કાર કેનાલમાં ખાબકતા સ્થાનિકોએ ફાયરને જાણ કરતા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, સ્થાનિકો દ્વારા દોરડાની મદદથી ગાડીમાં રહેલા લોકોને શોધવાની કામગીરી શરૂ કરાઈ હતી. પરંતુ ફતેવાડી કેનાલમાં પાણીનું વહેણ વધારે હોવાના કારણે કેનાલમાંથી પાણીનો પ્રવાહ પણ બંધ કરવાની ફરજ પડી હતી.
ફાયર બ્રિગેડે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
ફાયર બ્રિગેડને જાણ થતા ઘટનાસ્થળ પર પહોંચી કેનાલમાં ખાબકેલી કારને બહાર કાઢવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર કેનાલમાં જે કાર પડી છે તેમાં ત્રણ લોકો સવાર હતા. જ્યારે કારમાં સવાર ત્રણ લોકોની હજી સુધી કોઈ ભાળ મળી નથી. કાર સાથે આવેલા ત્રણ યુવકોની શોધખોળ માટે ફાયર બ્રિગેડની 3 ટીમો રેસ્ક્યુની કામગીરીમાં કરવામાં આવી છે.
ફાયર બ્રિગેડની ટીમો દ્વારા અલગ-અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ફતેવાડી કેનાલમાં ફાયર બ્રિગેડ અને પોલીસની મદદથી સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. હાલ તો ફાયર વિભાગની મલ્ટી પર્પસ ક્રેન, ચાર ફાયર ઓફિસર અને 30 ફાયર જવાનો સર્ચ ઓપરેશનમાં જોડાયા છે.
અમદાવાદના વાસણામાં કેનાલમાં ખબાકી કાર, 3 યુવાનો થયા ગુમ, ફાયર વિભાગે હાથ ધર્યું સર્ચ ઓપરેશન #gujarat #ahmedabad #news #zee24kalak pic.twitter.com/VmDXHMnbZd
— Zee 24 Kalak (@Zee24Kalak) March 5, 2025
કારમાં સવાર ત્રણ વ્યક્તિ કેનાલમાં ગુમ
રીલ બનાવવા માટે ભાડેથી કાર લાગીને રીલ બનાવવા ગયા હતા. વાસણા કેનાલમાં સ્કોર્પિયો કાર ખાબકતા યક્ષ ભનખોડીયા, યશ સોલંકી અને ક્રિશ દવે નામના આ યુવકો ગુમ થયા છે. આ યુવાનો રીલ બનાવવા માટે ભાડેથી કાર લાવ્યા હતા. યુવાનોએ 3500 રૂપિયામાં 4 કલાક માટે કાર ભાડે લીધી હતી. યશ નામનો યુવક કાર ચલાવી રહ્યો હતો તેને ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર આપી દેતા કાર કેનાલમાં ખાબકી હતી. યશને કાર ચલાવતા ના આવડતું હોવાની પણ વાત સામે આવી છે.
સામાન્ય રીતે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રાત્રી દરમિયાન કોઈ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવતું નથી પરંતુ, ત્રણ યુવકો પાણીમાં તણાઈ ગયા હોવાના કારણે ફાયર બ્રિગેડની એક ટીમ દ્વારા હાલ સુરક્ષાના સાધનો વડે કેનાલમાં ઉતરીને શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી તરફ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી પાણી પણ ઓછું થઈ જતા હાલ શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. રાત સુધીમાં ફાયર બ્રિગેડ ત્રણેયની શોધખોળ કરશે. બીજી તરફ લાપતા બનેલા યુવકોના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે