AAPના નેતા અને બોટાદના MLA ઉમેશ મકવાણાએ કર્યો મોટો ખુલાસો; શું AAP છોડી કેસરિયા કરશે?
આમ આદમી પાર્ટીના નેતા અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ની પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનું નિવેદન આપ્યું છે. ગઈકાલે ધારાસભ્ય પદ્ધતિ રાજીનામું આપ્યું છે કે આપવાના છે એ પ્રકારની અફવાઓ સંદર્ભે પોતાની વાત રજૂ કરી હતી.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં AAP નેતા ઉમેશ મકવાણા ભાજપમાં જોડાશે, એવી વાતો સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. જેના કારણે આમ આદમી પાર્ટીના નેતા અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટા ખુલાસા કર્યા છે. જી હા... ગઈકાલે (સોમવાર) AAP નેતા ઉમેશ મકવાણાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે કે આપવાના છે એ પ્રકારની અફવાઓ સંદર્ભે પોતાની વાત રજૂ કરી છે.
AAP નેતા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે હું ભાજપમાં જોડાવા જઈ રહ્યો છું, એવા સમાચારો વહેતા કરાયા હતા. આવી youtube ચેનલ સામે કાયદેસરના પગલા ભરીશ. મારી ભાજપમાં જવાની વાતનું હું બિલકુલ ખંડન કરું છું. હું ભાજપમાં જોડાવવાનો છું, એવી વાતો વહેતી કરીને રાજકીય રીતે નુકસાન કરવા માટે મુદ્દો ઉપાડવામાં આવી રહ્યો છે. હું ભાજપમાં જોડાવાનું પણ નથી અને ક્યાંય જવાનો પણ નથી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સારું કામ કરી રહ્યું છે, હાલ નવું સંગઠન બનાવવામાં આવી રહ્યું છે.
ઉમેશ મકવાણાએ કહ્યું કે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાય છે એ વાતનું ખંડન કરું છું. ધારાસભ્ય તરીકે રાજીનામું આપી રહ્યો છું અને ભાજપ સાથે હું જોડાવાનો છું, તે વાતનું પણ ખંડન કરું છું. હું આમ આદમી પાર્ટી સાથે જ જોડાયેલો છું. આમ આદમી પાર્ટી 2027ની ચૂંટણી પુરી તાકાતથી લડશે તેવા નવા જોમ સાથે વાત કરી હતી. આપ પોતાનું નવું સંગઠન બનાવી રહી છે. ખોટા સમાચાર ફેલાવનાર સામે કાયદાકીય પગલાં ભરીશું.
કોણ છે ઉમેશ મકવાણા?
ઉમેશ નારણ મકવાણા આમ આદમી પાર્ટીના રાજકારણી અને સામાજિક કાર્યકર છે. તેઓ 8 ડિસેમ્બર 2022 થી આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે બોટાદ વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ઉમેશ મકવાણાનો જન્મ ગુજરાતના બોટાદમાં થયો છે. તેમના પિતાનું નામ નારણ મકવાણા છે. ઉમેશ મકવાણાએ પ્રાથમિક અને માધ્યમિક શાળા શરુ કરી છે.
ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણાએ બીએ સુધીનો અભ્યાસ કર્યો છે.ભારતમાં COVID-19 લોકડાઉન દરમિયાન ઉમેશ મકવાણાએ માનવતા સેવા રથ હેઠળ 6 લાખથી વધારે ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીમાં ભાવનગર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ભાજપના નિમુબેન બાંભણિયા સામે મેદાનમાં ઉતાર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે