PM મોદી કેમ વિજય રૂપાણીનું રાખતા હતા ખાસ ધ્યાન, અંતિમ વિદાય વચ્ચે આ VIDEO થયો છે વાયરલ

Vijay Rupani Modi Story: તમને કદાચ ખબર નહીં હોય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યાના ચાર મહિના પછી ચૂંટણી લડ્યા હતા. મોદીએ 2002માં રાજકોટથી પહેલી ચૂંટણી લડી હતી. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિમાન દુર્ઘટનામાં અવસાન પછી પીએમ મોદીની ચૂંટણી સાથે જોડાયેલી એક વાર્તા હાલમાં ભારે ચર્ચામાં છે. જેને એક સમયે વિજય રૂપાણીએ શેર કરી હતી.

PM મોદી કેમ વિજય રૂપાણીનું રાખતા હતા ખાસ ધ્યાન, અંતિમ વિદાય વચ્ચે આ VIDEO થયો છે વાયરલ

Vijay Rupani Modi Story: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અંતિમ સફરે નીકળી ચૂક્યા છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં વિજય રૂપાણી કહી રહ્યા છે કે, ચૂંટણી દરમિયાન પીએમ મોદી કેવી રીતે નાની નાની વાતો ધ્યાનમાં રાખતા હતા. આ વીડિયો 'મોદી સ્ટોરી' નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પરથી શેર કરવામાં આવ્યો છે.

'મોદી સ્ટોરી' એ વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે, વિજય રૂપાણીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગાઢ અને જૂનો સંબંધ છે. તેમનો સહયોગ મોદી સાથે ગુજરાત ભાજપને મજબૂત બનાવવાના શરૂઆતના દિવસોથી છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓએ નવા ગુજરાતને ઘડવામાં સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખ્યું. રૂપાણી પોતે પાછળથી મુખ્યમંત્રી બન્યા અને ગુજરાતની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. 

— Modi Story (@themodistory) June 15, 2025

અમિત શાહ એક મહિનો રહ્યાં હતા રાજકોટ
વીડિયોમાં, વિજય રૂપાણી કહે છે કે નરેન્દ્ર મોદીએ રાજકોટ વિધાનસભા મતવિસ્તારથી તેમની પહેલી ચૂંટણી લડી હતી, જ્યાંથી હું હવે ધારાસભ્ય છું. તે સમયે પણ ચૂંટણીની જવાબદારી મારા માથા પર હતી અને મેં ચૂંટણીનું સમગ્ર કામ પણ સંભાળ્યું હતું. એ હાલના પીએમ નરેન્દ્રભાઈ મોદીની પહેલી ચૂંટણી હતી. 

Latest and Breaking News on NDTV

અમિત શાહ આ માટે એક મહિનો રાજકોટમાં રહ્યા હતા. અમે બંને સાથે કામ કરતા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે મોદી દરરોજ સાંજે ગાંધીનગરથી અમારી સાથે ચૂંટણીની ચર્ચા કરતા હતા. એકવાર મેં અમિત ભાઈએ કહ્યું હતું કે, નરેન્દ્ર ભાઈ ચૂંટણી વિશે કેમ નાની નાની બાબતોનું ધ્યાન રાખે છે. તે સમયે અમિત શાહે એક સારું ઉદાહરણ આપ્યું હતું કે, જ્યારે દરજી પોતાના લગ્ન માટે તૈયાર થાય ત્યારે તે કોટ પોતે સીવે છે અને સિલાઈમાં પણ ખાસ ધ્યાન રાખે છે. હાલમાં એમની પરિસ્થિતિ દરજી જેવી છે. 

વિજય રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં અવસાન
વીડિયોમાં વિજય રૂપાણી આગળ કહે છે કે નરેન્દ્ર મોદી અત્યાર સુધી બધાને ચૂંટણી લડાવતા હતા. હવે દરજી પોતે લગ્ન કરવા માટે નીકળ્યા છે, એટલે કે તેઓ પોતે ચૂંટણી લડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ગુજરાતના અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. રૂપાણી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI171 માં સવાર હતા, જે અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહી હતી. ટેકઓફ પછી તરત જ વિમાન ક્રેશ થયું. પીએમ મોદી તેમના મૃત્યુ પછી પરિવારને મળ્યા અને તેમને સાંત્વના આપી હતી. વિજય રૂપાણી આનંદીબેન પટેલ બાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news