ગુજરાતીઓ સાચવજો! ભારતના આ રાજ્યમાં ગમે ત્યારે મચી શકે તબાહી! ધરતી નીચે ભેગી થઈ રહી છે વિનાશકારી શક્તિ
ભારતના અનેક રાજ્યોમાં અવારનવાર ભૂકંપના ઝટકા મહેસૂસ થતા હોય છે. જ્યારે બીજી બાજુ સમુદ્ર કિનારે વસેલા રાજ્યોમાં ભૂકંપના ઝટકા બાદ સુનામીનું પણ જોખમ રહે છે.
Trending Photos
ભારતના અનેક રાજ્યો ભૂકંપના રિસ્ક પર છે. સમુદ્રી કાંઠાવાળા રાજ્યોમાં સુનામીનું પણ જોખમ રહે છે. આજે અમે તમને એક એવા ભારતીય રાજ્ય વિશે જણાવીશું જેણે વર્ષ 2013માં એક મોટી ત્રાસદી ઝેલી અને આજે પણ તે તબાહીની અણી પર છે એવું કહીએ તો કદાચ ખોટું નહીં હોય. અત્રે ખાસ જણાવવાનું કે આ રાજ્ય પ્રવાસન માટે ખુબ પ્રખ્યાત છે. ધાર્મિક અને કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળો અહીં ભરપૂર છે. એટલે પ્રવાસીઓની ભીડ રહે છે. ગુજરાતીઓ પણ ફરવાના શોખીન હોય છે અને ઉત્તરાખંડના ધાર્મિક સ્થળો અને હિલ સ્ટેશનો પર અવાર નવાર બધા જતા હોય છે.
ધરતીની નીચે ભેગી થઈ રહી છે પ્રલયકારી શક્તિ
ઉત્તરાખંડ સહિત સમગ્ર હિમાલયી ક્ષેત્ર ભૂકંપની રીતે ખુબ જ સંવેદનશીલ છે અને વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે અહીં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે. છેલ્લા 500-600 વર્ષમાં કોઈ મોટો ભૂકંપ ન આવવાના કારણે ધતીની નીચે જબરદસ્ત ઊર્જા ભેગી થઈ છે. ભૂકંપની રીતે ઉત્તરાખંડ સહિત હિમાલય ક્ષેત્ર ઝોન 4 અને 5માં આવે છે જે ખુબ જ સંવેદનશીલ છે. ટેક્ટોનિક પ્લેટોના અથડાવવાથી અહીં દર વર્ષે 40 મિમીનો ફેરફાર આવે છે. આ ફેરફાર ભવિષ્યમાં મોટા ભૂકંપનું કારણ બની શકે છે.
500 વર્ષથી નથી આવ્યો કોઈ મોટો ભૂકંપ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે છેલ્લા 500-600 વર્ષથી હિમાલયમાં કોઈ મોટો ભૂકંપ આવ્યો નથી. જેના કારણે મેન હિમાલયન થ્રસ્ટ (MHT)માં ભારે ભૂકંપીય ઊર્જા ભેગી થઈ છે. જો આ ઊર્જા એક સાથે રિલીઝ થાય તો તબાહી મચાવી શકે છે.
ટેક્ટોનિક પ્લેટોની હલચલ
વાડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજી મુજ હિમાલયની ટેક્ટોનિક પ્લેટ્સ 14-18 મિમી પ્રતિ વર્ષની ગતિથી સરકી રહી છે. આ હલચલના કારણે ટનકપુરથી દહેરાદૂન સુધી સંકોચન થઈ રહ્યું છે. આ સંકોચન ભૂકંપનું મોટું કારણ બની શકે છે. એજીઆરઆઈના વૈજ્ઞાનિકોએ જાણ્યું છે કે ગઢવાલ અને કુમાઉ ભૂગર્ભીય રીતે બે અલગ અલગ ખંડ છે. આ બંને ક્ષેત્રોમાં ભૂકંપની તીવ્રતા અને પ્રભાવ અલગ અલગ હોઈ શકે છે. સિસ્મીક ગેપની હાજરી તેને વધુ ખતરનાક બનાવે છે.
ક્યારે ક્યારે આવ્યા વિનાશકારી ભૂકંપ
1991 (ઉત્તરકાશી, 6.8), 199 (ચમોલી 6.6) અને 2015 (નેપાળ 7.8) જેવા ભૂકંપોએ હિમાલયમાં ભારે નુકસાન પહોંચાડ્યું. 2015માં નેપાળમાં આવેલા ભૂકંપમાં 9,000 લોકો માર્યા ગયા હતા. આ ઘટનાઓ ઉત્તરાખંડ માટે ખતરાની ઘંટી છે.
ભેગી થઈ રહી છે ઊર્જા
ભૂકંપીય ઊર્જા મુખ્ય હિમાલયી થ્રસ્ટથી 18 કિલોમીટર નીચે લોક અવસ્થામાં છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો આ ઊર્જા રિલીઝ થાય તો 8 પ્લસની તીવ્રતાનો ભૂકંપ આવી શકે. તેનો યોગ્ય સમય જણાવવો વૈજ્ઞાનિકો માટે પણ હાલ પડકાર છે. ઉત્તરાખંડમાં ફક્ત બે સક્રિય બીજીએસ સ્ટેશન છે. જે પ્લોટની હલચલ પર નજર રાખે છે વૈજ્ઞાનિકોનું સૂચન છે કે વધુ જીપીએસ સ્ટેશન લગાવાથી ભૂકંપની ભવિષ્યવાણી કરવામાં મદદ મળી શકે છે. આ ડેટા ભૂકંપીય ઉર્જાના સંચયને સમજવામાં કારગર છે.
અત્રે જણાવવાનું કે ઉત્તરાખંડમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ હજુ પણ નબળું છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. 2023માં બદ્રીનાત અને કેદારનાથમાં આવેલા પૂરે નબળી તૈયારીઓને ઉજાગર કરી. ભૂકંપ માટે મજબૂત વ્યવસ્થાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે