Bollywood Flashback: હનીમૂન વખતે જ રેખાને ખબર પડી ગઈ હતી? અભિનેત્રીએ જ્યારે ખુલાસો કર્યો તો મચ્યો હતો હડકંપ
Rekha's Husband Mukesh Agrawal: રેખા અને મુકેશ અગ્રવાલનું જીવન કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. આ સંબંધમાં અભિનેત્રી ક્યારેય ખુશ નહતી. રેખા અને અમિતાભ બચ્ચનની લવ સ્ટોરી ચારેબાજુ ચર્ચામાં હતી. ત્યારબાદ અભિનેત્રીએ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા અને આ સંબંધ ચારેબાજુ છવાયેલો રહ્યો. એવું કહેવાય છે કે બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ બીના રમાણી દ્વારા થઈ અને અભિનેત્રીએ તેને અરેન્જ મેરેજ ગણાવ્યાં હતા.
બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન
રેખાએ વર્ષ 1990માં બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 7 મહિના બાદ મુકેશ અગ્રવાલે આત્મહત્યા કરી લીધી. આવામાં જ્યારે રેખાને પૂછવામાં આવ્યું હતું તો તેમણે જણાવ્યું હતું કે આ લવ નહીં પરંતુ એક અરેન્જ મેરેજ હતા. જેમાં તેમના વચ્ચે પ્રેમ નહતો. પરંતુ એક સોશિયલ સેટઅપ હતું.
હનીમૂનમાં જ ખબર પડી ગઈ કે સંબંધ નહીં ચાલે
પતિના મોત બાદ અનેક વર્ષો પછી મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં રેખાએ પોતાની લાઈફ પર કહ્યું હતું કે હું નહીં મુકેશ ડિવોર્સ લેવા માંગતા હતા. પરંતુ મે ક્યારેય સંબંધમાં હાર માની નથી અે જ્યારે તેમને એવું લાગ્યું હતું કે અમે એકબીજા માટે યોગ્ય નથી તો અમારે ત્યારે જ અલગ થઈ જવું જોઈતું હતું. જ્યારે અમે અમારું હનીમૂન મનાવવા માટે લંડન ગયા હતા ત્યારે જ ખબર પડી ગઈ હતી કે અમારો સંબંધ નહીં ચાલી શકે.
સંબંધનો દર્દનાક અંત
રેખા અને મુકેશ અંગ્રવાલે 4 માર્ચ 1990ના રોજ લગ્ન કર્યા હતા. પરંતુ 6થી 7 મહિનાની અંદર જ આ સંબંધનો દર્દનાક અંત આવી ગયો. મુકેશ અગ્રવાલે આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે મુકેશે આત્મહત્યા કરી ત્યારે રેખા કોઈ ઈવેન્ટમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
મુકેશ અગ્રવાલને માનસિક બીમારી?
રેખાએ પતિ મુકેશ અગ્રવાલના મોત પર એક ઈન્ટરવ્યુમાં જે કઈ કહ્યું હતું તે ખુબ ચોંકાવનારું હતું. રેખાએ કહ્યું હતું કે લગ્ન બાદ જ્યારે તેઓ હનીમૂન પર લંડન ગયા હતા ત્યારે જ તેમને ખબર પડી ગઈ હતી કે પતિ મુકેશ કોઈ માનસિક બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા.
એક્યુટ ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યા હતા
રેખાએ ધીરે ધીરે દિલ્હીથી અંતર જાળવવા માંડ્યું અને તે મુકેશને પણ મુંબઈ આવતા રોકવા લાગી હતી. મુકેશ એક્યુટ ડિપ્રેશન સામે ઝઝૂમતા મેડિકેશન પર હતા અને રેખાને એ વિશે કશું ખબર નહતી.
રેખાએ કહ્યું હતું કે મુકેશ મેન્ટલ હેલ્થ ઈશ્યુ સામે ઝઝૂમી રહ્યા છે. તેમને લાગ્યું કે તેઓ એકબીજા માટે નથી બન્યા અને ત્યારબાદથી જ રેખા સતત પતિથી દૂર રહેવા લાગી હતી.
બિઝનેસમાં નુકસાન
જ્યાં એક બાજુ રેખા અને મુકેશનો સંબંધ તૂટી રહ્યો હતો ત્યાં બીજી બાજુ તેમના પતિને બિઝનેસમાં ભારે નુકસાન થયું હતું. જો કે આ દરમિયાન તેમણએ પત્ની રેખાને કશું જણાવ્યું નહતું. પરંતુ અભિનેત્રીને થોડા મહિનાઓ બાદ બધુ જ ખબર પડી ગઈ અને ખુબ પરેશાન થઈ ગઈ.
એક્ટિંગથી દૂર કરવા માંગતા હતા
રેખાએ એ પણ જણાવ્યું હતું કે મુકેશ તેમને ફિલ્મોથી દૂર કરવા માંગતા હતા અને રેખાએ આ માટે શરત મૂકી હતી કે તે જો માતા બની ગઈ તો ફિલ્મોથી દૂર થઈ જશે. જો કે આવું કઈ પણ થાય તે પહેલા જ આ સંબંધ ખુબ ખરાબ દોરમાં ખતમ થયો અને અંતે મુકેશે આત્મહત્યા કરી લીધી.
Trending Photos