Pavanamuktasana: જે લોકોને આ 5 બીમારી હોય તેમણે રોજ કરવું જોઈએ પવનમુક્તાસન, દવા વિના સમસ્યા દુર થવા લાગશે

Benefits of Pavanamuktasana: પવનમુક્તાસન અત્યંત લાભકારી આસન છે. તેનાથી પેટ, આંતરડા, પાચન સંબંધિત સમસ્યા દુર કરવામાં મદદ મળે છે. સવારના સમયે પેટ ખાલી હોય ત્યારે આ યોગનો અભ્યાસ કરવો જોઈએ. ખાસ કરીને જેમને આ 5 સમસ્યા હોય તેમણે નિયમિત પવનમુક્તાસન કરવું જોઈએ.
 

નબળી પાચનશક્તિ

1/6
image

પવનમુક્તાસન કરવાથી પેટ પર પ્રેશર આવે છે. તેનાથી આંતરડા સક્રિય થાય છે અને ભોજનનું પાચન સુધરે છે.   

ગેસ અને સોજા

2/6
image

આ આસનનું નામ જ પવનમુક્તાસન છે. આ આસન કરવાથી શરીરમાંથી વાત એટલે કે ગેસ મુક્ત થાય છે. નિયમિત આ આસનનો અભ્યાસ કરવાથી પેટના સોજા ઓછા થાય છે.   

કમરદર્દ

3/6
image

પવનમુક્તાસન કરવાથી કરોડરજ્જુ અને પીઠના નીચેના ભાગ પર હળવું ખેંચાણ અનુભવાય છે. તેનાથી કમરદર્દ, કમરના સાંધાની તકલીફ દુર થવા લાગે છે. ઓફિસમાં કલાકો સુધી બેસવાનું હોય તેમના માટે આ યોગ લાભકારી છે.  

સ્થૂળતા

4/6
image

આ આસન કરવાથી પેટ અને કમરની ચરબી ઓછી કરવામાં મદદ મળે છે. તેનાથી પેટના સ્નાયૂ સંકુચિત થાય છે. નિયમિત રીતે આ આસન કરવાથી સ્થૂળતા ઓછી કરવામાં મદદ મળે છે.  

માનસિક તણાવ

5/6
image

પવનમુક્તાસન ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયાને વધારે છે. તેનાથી મગજને વધારે ઓક્સીજન મળે છે. જેના કારણે માનસિક તણાવ, થાક અને ચિંતાથી રાહત મળે છે.  

6/6
image