Surya Rahu Yuti: રાહુ-સૂર્યની યુતિ 3 રાશિઓને કરશે માલામાલ, નોકરીમાં વધશે પદ અને પગાર, વેપાર માટે પણ સમય શુભ

Surya Rahu Yuti: 14 માર્ચે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં પહેલાથી જ સૂર્ય ગોચર કરે છે. તેથી સૂર્ય અને રાહુની યુતિ સર્જાશે. આ યુતિ કેટલાક લોકોના જીવન માટે સુખદ સાબિત થશે.
 

Surya Rahu Yuti: રાહુ-સૂર્યની યુતિ 3 રાશિઓને કરશે માલામાલ, નોકરીમાં વધશે પદ અને પગાર, વેપાર માટે પણ સમય શુભ

Surya Rahu Yuti: ગ્રહોના રાજા સૂર્ય હાલ શનિની રાશિ કુંભમાં ગોચર કરે છે. 14 માર્ચ અને શુક્રવારે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં પહેલાથી જ રાહુ ગોચર કરે છે જેના કારણે મીન રાશિમાં સૂર્ય અને રાહુની યુતિ સર્જાશે. મીન રાશિમાં રાહુ અને સૂર્ય એક સાથે ગોચર કરીને કેટલીક રાશિનો ભાગ્યોદય કરશે. 

સૂર્યગ્રહ નેતૃત્વ ક્ષમતા અને આત્માનો કારક ગ્રહ છે જ્યારે રાહુ આકસ્મિક ઘટનાઓનો કારક ગ્રહ છે. આ બંને ગ્રહની યુતિ 12 રાશિ પર અસર કરશે. જોકે 3 રાશિ એવી છે જેમના માટે આ યુતિ સારી રહેવાની છે. આ રાશિઓ કઈ છે ચાલો તમને જણાવીએ. 

સૂર્ય અને રાહુની યુતિ આ 3 રાશિ માટે શુભ 

વૃષભ રાશિ 

વૃષભ રાશિના લોકો માટે સૂર્ય અને રાહુની યુતિ ફાયદાકારક રહેવાની છે. આ સમય દરમિયાન ધન લાભ થવાની સંભાવના. ખર્ચા પણ વધી શકે છે. પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે. મેરીડ લાઇફમાં જે સમસ્યાઓ આવી રહી હતી તે દૂર થશે. 

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે પણ આ યુતિ ફાયદાકારક રહેવાની છે. આવકમાં વૃદ્ધિ થવાથી મનપસંદ રહેશે. સમાજમાં માન સન્માન વધશે. જુના રોકાણથી સારું રિટર્ન મળવાની સંભાવના. લાઈફ પાર્ટનર સાથે રિલેશનશિપ સુધરશે. 

મકર રાશિ 

મકર રાશિના લોકો માટે પણ સૂર્ય અને રાહુની યુતિ શુભ સાબિત થવાની છે. ફાઇનાન્સિયલ સિચ્યુએશન પહેલા કરતા સુધરશે. કારકિર્દી માટે સારો સમય. વાદ-વિવાદમાં પડવું નહીં. નવા કામની શરૂઆત શુભ સાબિત થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news