ગુજરાતના 50 આગાહીકારોની ભવિષ્યવાણી : આ વર્ષે 16 આની ચોમાસું રહેશે, સાથે 2 વાવાઝોડા આવશે

Gujarat Monsoon 2025 forecast : આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી... આ વર્ષનું ચોમાસું 16 આની રહેશે... 100 ટકાથી વધુ વરસાદ રહેવાની આગાહી... ગુજરાતના 50થી વધુ આગાહીકારોએ આપ્યું પૂર્વાનુમાન... ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં વાવાઝોડાની શક્યતા 

ગુજરાતના 50 આગાહીકારોની ભવિષ્યવાણી : આ વર્ષે 16 આની ચોમાસું રહેશે, સાથે 2 વાવાઝોડા આવશે

Junagadh News અશોક બારોટ/જુનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 31માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં આગાહીકારો એકત્ર થયા હતા. જેમાં આ વર્ષે ચોમાસું ખૂબ જ સારું રહેશે તેવો વરસાદનો વરતારો કઢાયો છે. રાજ્યભરના 50 થી વધુ આગાહીકારોના મતે, આ વર્ષ 16 આની જેવું રહેશે અને 100 ટકાથી વધુ વરસાદ પડશે.
 
એક મંચ પર 50 આગાહીકારો એકઠા થયા 
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 31મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં રાજ્યભરમાંથી 50થી વધુ આગાહીકારો એકઠા થયા હતા. દરેક આગાહીકારની આગાહી કરવાની શૈલી અલગ અલગ હોય છે. જેમાં ભડલી વાક્ય, પશુ-પક્ષીઓના અવાજ અને આકાશમાં વાદળોની રચના જેવા અવલોકનોના આધારે આગાહી કરવામાં આવી. મોટા ભાગના આગાહીકારોનું કહેવું છે કે આ વર્ષે ચોમાસું ઉત્તમ રહેશે, 100 ટકાથી વધુ વરસાદ પડશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે. આ વર્ષે 16 આની જેવો વરસાદ થશે તેવી આગાહી છે.

Monsoon Prediction By Gujarat Experts
 
ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બે વાવાઝોડા આવશે 
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વીપી ચોવટીયાએ જણાવ્યું, આ આગાહીકારોના જણાવ્યા મુજબ, જૂનના પ્રથમ સપ્તાહમાં વરસાદ શરૂ થશે, જેનાથી ખેડૂતો વાવણી કરી શકશે. જુલાઈના અંત સુધી વાવણી માટે પૂરતો વરસાદ થશે. આ વર્ષે ચોમાસું લાંબું ચાલશે અને બે વાવાઝોડાની સંભાવના છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરના અંત સુધી વાવાઝોડું આવી શકે છે. ચોમાસું ઓક્ટોબરના અંતિમ સપ્તાહ સુધી વિદાય લેશે.

Monsoon Prediction By Gujarat Experts
 
જુનથી જ ધોધમાર વરસશે વરસાદ
આગાહીકાર ભીમભાઈ ઓડેદરાએ જણાવ્યું કે, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં જૂનના પ્રથમ સપ્તાહથી ધોધમાર વરસાદ થશે. બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહાર મહારાષ્ટ્ર અને ગોવામાં એલર્ટ રહેશે. 8થી 10 જુલાઈ દરમિયાન વાવાઝોડાની શક્યતા છે. 

Monsoon Prediction By Gujarat Experts

આમ, રાજ્યભરના આગાહીકારોએ કરેલી આ આગાહીઓ ખેડૂતો માટે ફાયદાકારક રહેશે. આગાહીકારોએ કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકો માટે પણ માર્ગદર્શન આપ્યું છે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું. 

આમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળની આગાહીઓ પરથી લાગે છે કે આ વર્ષ ખેડૂતો માટે ખૂબ જ સારું રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news