Health Tips: ટૂથપેસ્ટમાં એવું કયું કેમિકલ હોય છે, જેનાથી થઈ શકે છે આંતરડાનું કેન્સર!
Health Tips: કેન્સર એક ખૂબ જ ખતરનાક રોગ છે. કેન્સરને કારણે દર વર્ષે લાખો લોકો જીવ ગુમાવી રહ્યા છે. શું તમે જાણો છો કે તમારા ટૂથપેસ્ટથી કેન્સર થઈ શકે છે?
Trending Photos
Health Tips: સવારે ઉઠ્યા પછી, લોકો દાંત સાફ કરવા માટે બ્રશ કરે છે. આજકાલ બજારમાં અનેક પ્રકારના ટૂથપેસ્ટ ઉપલબ્ધ છે. ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાથી દાંત સાફ થાય છે, સાથે સાથે શ્વાસની દુર્ગંધ પણ દૂર થાય છે. શું તમે જાણો છો કે ટૂથપેસ્ટ કેન્સરનું કારણ બની શકે છે?
શું ટૂથપેસ્ટ કેન્સરનું કારણ બની શકે છે
એક અમેરિકન મેગેઝિન સાયન્સ ટ્રાન્સલેશન મેડિસિનમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ટૂથપેસ્ટમાં ટ્રિસ્કોસન નામનું તત્વ જોવા મળે છે, જે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ તરીકે કામ કરે છે. તબીબી સંશોધન મુજબ, ટૂથપેસ્ટમાં હાજર ટ્રાઇક્લોસન કેન્સરનું કારણ બની શકે છે.
આંતરડાનું કેન્સર
સંશોધન મુજબ, ટૂથપેસ્ટમાં ટ્રાઇક્લોસનની હાજરી આંતરડાના બેક્ટેરિયાની રચનામાં ફેરફારનું કારણ બને છે, જે બળતરા અને સોજાનું કારણ બની શકે છે. લાંબા સમય સુધી બળતરા અને સોજા કેન્સરનું કારણ બની શકે છે. સાયન્સ ટ્રાન્સલેશનલ મેડિસિન સંશોધન દરમિયાન ઉંદરો પર ટ્રાઇક્લોસનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. થોડા સમય પછી, ટ્રાઇક્લોસનને કારણે આંતરડામાં બળતરા શરૂ થઈ, ધીમે ધીમે આંતરડાની સમસ્યા વધતી ગઈ અને ઉંદરોમાં મોટા આંતરડાનું કેન્સર જોવા મળ્યું હતું.
તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી
કેન્સરથી બચવા માટે, તમે ટ્રાઇકોલ્સ ફ્રી ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. કોઈપણ ટૂથપેસ્ટનો ઉપયોગ કરતા પહેલા દાંતના ડોક્ટરની સલાહ લો. આ ઉપરાંત, વિશ્વસનીય બ્રાન્ડની ટૂથપેસ્ટ ખરીદો. કેન્સરથી બચવા માટે, સ્વસ્થ આહાર લો. બહારના તળેલા અને ફાસ્ટ ફૂડનું શક્ય તેટલું ઓછું સેવન કરો.
(Disclaimer: અહીં આપેલી જાણકારી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે