1-2 નહીં આ એક્ટરે 3 વખત કર્યા લગ્ન, પરિવારથી છૂપાઈને મંદિરમાં લીધા સાત ફેરા; મંગળસૂત્ર ખરીદવાના પણ ન હતા રૂપિયા

Gurmeet Choudhary Marriage: આજે અમે તમને ટીવી ઇન્ડસ્ટ્રીના એક એવા કપલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે રામાયણમાં રામની ભૂમિકા ભજવી હતી. હાલમાં અભિનેતા તેની પત્ની સાથે પતિ પત્ની ઔર પંગામાં જોવા મળી રહ્યા છે. આ શોમાં અભિનેતાએ એવો ખુલાસો કર્યો કે, તેના ફેન્સ ચોંકી ગયા. ચાલો તમને જણાવીએ.

1/5
image

અમે ટીવી ઇન્ડસ્ટ્રીના અભિનેતા ગુરમીત ચૌધરી વિશે વાત કરી રહ્યા છીએ. હાલમાં ગુરમીત ચૌધરી "પતિ પત્ની ઔર પંગા" શોમાં જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ આ શોમાં અભિનેતાએ એક મોટો ખુલાસો કર્યો છે કે, તેણે એક કે બે વાર નહીં પરંતુ ત્રણ વાર લગ્ન કર્યા છે. દરેક લગ્નની એક અલગ કહાની છે.

2/5
image

આ શોમાં ગુરમીત તેની પત્ની દેબીના સાથે જોવા મળી રહ્યા છે. આ દરમિયાન દેબીનાએ ખુલાસો કર્યો કે, જ્યારે તેના અને ગુરમીતે પહેલી વાર લગ્ન કર્યા ત્યારે તે માત્ર 19 વર્ષની હતી, તે એકદમ જાદુઈ હતું. અમે બન્ને એક મંદિરમાં પાંચ પૂજારીઓ અને નજીકના મિત્રો સાથે ઉભા હતા અને કોઈને આ વિશે ખબર નહોતી, અમારા પરિવારને પણ નહીં.

3/5
image

આ દંપતીએ વધુમાં કહ્યું કે, વર્ષો પછી અમારા લગ્ન વિધિઓ સાથે થયા અને એવું લાગતું હતું કે જીવન અમને ભવ્ય રીતે ઉજવણી કરવાનો મોકો આપી રહ્યું છે. અમે બન્નેએ પરિવાર અને મિત્રોની સામે માળા પહેરાવી, મને તે ખૂબ સારી રીતે યાદ છે. તે સમયે હું ખૂબ જ ખુશ હતી.

4/5
image

તેમણે જણાવ્યું કે, અમારા લગ્નનું એક અલગ જ રૂપ હતું અને દરેક લગ્ન અમારા માટે ખૂબ જ ખાસ હતા. એકબીજાને જોઈને ફરીથી હા કહેવું હજુ પણ મુશ્કેલ છે. જો કે, અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અમારા લગ્નને 14 વર્ષ થયા છે.

5/5
image

આ દરમિયાન ગુરમીત ચૌધરીએ લગ્ન વિશે વાત કરતા કહ્યું કે, જ્યારે દેબીનાએ મને ફોન પર પૂછ્યું કે શું હું તેની સાથે લગ્ન કરીશ, ત્યારે મેં આંખની પાંપણ પણ પલકારી ન હતી. તે સમયે હું બાઇક પર હતો. મેં યુ ટર્ન લીધો અને મંગળસૂત્ર ખરીદ્યું, કેટલાક પંડિતોને શોધી કાઢ્યા અને પછી લગ્ન કર્યા. જો કે, તે સમયે મારી પાસે મંગળસૂત્ર ખરીદવા માટે પૈસા નહોતા, પણ મેં સસ્તું મંગળસૂત્ર ખરીદ્યું. તે સમયે અમારા પર કોઈ કેમેરા કે પ્રેશર નહોતું, ફક્ત પ્રેમ હતો.