900 મંદિરનું ઘર છે દુનિયાનો આ એકમાત્ર પહાડ, ગુજરાતના આ પર્વતનું રહસ્ય જાણીને ઉડી જશે હોશ!
Gujarat Shatrunjay Mountain: શત્રુંજય પર્વત દુનિયાનો એકમાત્ર પર્વત છે, જેના પર 900 મંદિર બનેલા છે. આ પર્વત જે શહેરમાં આવેલો છે તેને દેશમાં કાયદેસર રીતે શાકાહારી શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ...
એકમાત્ર શાકાહારી શહેર
ગુજરાતના પાલિતાણા શહેરને કાયદેસર રીતે શાકાહારી શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. દુનિયાનો અનોખો શત્રુંજય પર્વત પણ આ શહેરમાં આવેલો છે.
900 મંદિર ધરાવતો એકમાત્ર પર્વત
900 મંદિર ધરાવતો એકમાત્ર પર્વત ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલો છે. તે દુનિયાભરમાં શત્રુંજય પર્વત તરીકે પ્રખ્યાત છે.
જૈન ધર્મ માટે આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર
શત્રુંજય પર્વત જૈન ધર્મ માટે ધાર્મિક આસ્થાનું સ્થળ છે. શત્રુંજય પર્વત જૈન ધર્મના લોકો માટે મુખ્ય તીર્થસ્થળોમાંથી એક છે.
ઋષભ દેવનો પહેલો ઉપદેશ
જૈન તીર્થંકર ઋષભ દેવે શત્રુંજય પર્વત પર ધ્યાન કર્યું હતું. ઋષભ દેવે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતાનો પહેલો ઉપદેશ આ પર્વત પર આપ્યો હતો. આ પર્વત જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભ દેવને સમર્પિત છે.
સંગમરમરથી બનેલા છે મંદિર
શત્રુંજય પર્વત પર બનેલા મંદિર સંગમરમરથી બનેલા છે. સંગમરમરની સુંદરતા અહીં આવતા ભક્તોને ખૂબ જ આકર્ષિત કરે છે.
મંદિર સુધી પહોંચવા માટે ચઢવી પડે છે સીડીઓ
શત્રુંજય પર્વત એટલી ઊંચાઈ પર છે કે મંદિર સુધી પહોંચવા માટે લોકોને ઓછામાં ઓછી 3000 સીડીઓ ચઢવી પડે છે.
શત્રુંજય પર્વત પર પહેલું મંદિર ક્યારે બનાવવામાં આવ્યું?
ચાલો તમને જણાવી દઈએ કે, શત્રુંજય પર્વત પર પહેલું મંદિર 11મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. લોકો કહે છે કે, તે સૂર્યપ્રકાશમાં ચમકે છે અને ચંદ્રમાની રોશમાં મોતી જેવું દેખાય છે.
Trending Photos