આર્થિક નુકસાન અને ભયાનક કષ્ટ આપશે સૂર્ય-શનિનો મહાવિસ્ફોટક યોગ! આ 5 રાશિના લોકો રહે એલર્ટ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય અને શનિ એકબીજાથી છઠ્ઠા અને આઠમાં ભાવમાં સ્થિત હોય છે, તો તેને ષડાષ્ટક યોગ કહેવામાં આવે છે. આ યોગ સામાન્ય રીતે અશુભ પ્રભાવ આપનાર માનવામાં આવે છે, કારણ કે તે જીવનમાં વિઘ્નો, માનસિક તણાવ અને આર્થિક સંકટ લાવી શકે છે.
ક્યારે બનશે શનિ-સૂર્યનો વિસ્ફોટક યોગ?
જ્યોતિષ ગણના અનુસાર 23 ઓગસ્ટે સૂર્ય-શનિનો ખતરનાક ષડાષ્ટક યોગ બનવા જઈ રહ્યો છે, તે અનુસાર કેટલાક જાતકો પર વધુ નકારાત્મક અસર થશે. આ જાતકોએ વિશેષ સાવચેતી રાખવી પડશે.
કર્ક રાશિ
સૂર્ય શનિનો ખતરનાક ષડાષ્ટક યોગ કર્ક રાશિના જાતકો માટે નુકસાનકારક માનવામાં આવી રહ્યો છે. આ યોગના પ્રભાવથી કર્ક રાશિના જાતકોના આત્મવિશ્વાસને ઝટકો લાગી શકે છે. નોકરીમાં મુશ્કેલી અને આર્થિક પડકાર આવી શકે છે. મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં ધ્યાન રાખવું.
સિંહ રાશિ
સૂર્ય-શનિનો ષડાષ્ટક યોગ સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ નથી. આ ખતરનાક યોગના પ્રભાવથી આ રાશિના જાતકોએ આર્થિક સંઘર્ષ અને પારિવારિક તણાવનો સામનો કરવો પડે છે. ઘરમાં તાલમેલ રાખવો મુશ્કેલ બનશે. નાણાનું સંકટ મુશ્કેલી ઉભી કરી શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે આ યોગ વિરોધીઓને સક્રિય કરી શકે છે. ઓફિસમાં રાજનીતિ, સન્માનમાં ઘટાડો અને આર્થિક નુકસાન થવાનો સંકેત છે. આ દરમિયાન સંયમ રાખવો જરૂરી છે. આ સિવાય નાણા અને સ્વાસ્થ્યને લઈને સાવચેત રહેવું પડશે.
ધન રાશિ
સૂર્ય-શનિનો આ ષડાષ્ટક યોગ ધન રાશિના જાતકો માટે અશુભ અને હાનિકારક છે. આ યોગના પ્રભાવથી ધન રાશિના જાતકોને વિવાદ, ખર્ચમાં અચાનક વધારો અને કાયદાકીય મામલામાં સંઘર્ષ કરાવી શકે છે. બિનજરૂરી ટકરાવથી બચો અને તમારા શબ્દો પર નિયંત્રણ રાખો.
કુંભ રાશિ
સૂર્ય-શનિનો ષડાષ્ટક યોગ કુંભ રાશિના જાતકો પર નકારાત્મક અસર કરી શકે છે. આ યોગના પ્રભાવથી વાદ-વિવાદ, ઈજા કે અચાનક કોઈ સમસ્યા થઈ શકે છે. સતર્કતા અને ધૈર્ય બનાવી રાખવું જરૂરી છે.
Trending Photos