ઘરમાં રોકડા રૂપિયા રાખો છો તો જાણી લો આ નિયમ.... એક ભૂલ થઈ તો આવકવેરા વિભાગ કરી શકે છે કાર્યવાહી

આજકાલ મોટાભાગના લોકો રોકડને બદલે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાનું પસંદ કરે છે. પરંતુ હજુ પણ રોકડની જરૂરિયાત ઘટી નથી. આજે પણ વેપાર વગેરેમાં વ્યવહારો રોકડમાં થાય છે. આ સિવાય જે લોકો UPI ફ્રેન્ડલી નથી તેઓ પણ રોકડનો ઉપયોગ કરે છે. આ કારણથી લોકો પોતાના ઘરમાં રોકડ પણ રાખે છે. પરંતુ જો તમે ઘરમાં ઘણી બધી રોકડ રાખી છે, તો તમારે કેટલાક નિયમો સમજવા જોઈએ કારણ કે જો આ બાબતમાં થોડી પણ ભૂલ થાય છે, તો આવકવેરા વિભાગ તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.
 

શું રોકડ રાખવાની છે કોઈ મર્યાદા?

1/5
image

આવકવેરા વિભાગના નિયમ પ્રમાણે ઘર પર કેશ રાખવાના મામલામાં કોઈ વિશેષ નિયમ કે લિમિટ બનાવી નથી. જો તમે આર્થિક રૂપથી સક્ષમ છો તો ઘર પર ગમે એટલી રોકડ રાખી શકો છો. પરંતુ તમારી પાસે તે રકમનો સોર્સ હોવો જોઈએ. જો તપાસ એજન્સી તમારી પૂછપરછ કરે તો તમારે સોર્સ દેખાડવો પડશે. સાથે આઈટીઆર ડિક્લેરેશન પણ દેખાડવું પડશે.

જો સોર્સ ન દેખાડી શકો તો શું થશે?

2/5
image

જો તમે પૈસાનો સ્ત્રોત જણાવવામાં અસમર્થ છો, તો તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આવી સ્થિતિમાં, આવકવેરા વિભાગ તપાસ કરે છે કે તમે કેટલો ટેક્સ ભર્યો છે. જો ગણતરીમાં અઘોષિત રોકડ મળી આવે છે, તો આવકવેરા વિભાગ દ્વારા તમારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં તમારી પાસેથી ભારે દંડ વસૂલવામાં આવી શકે છે.

આ કેસમાં થઈ શકે છે ધરપકડ

3/5
image

ઘણી વખત આપણે સમાચારોમાં જોઈએ છીએ કે કોઈ અમલદાર, અધિકારી કે ઉદ્યોગપતિના ઘરે આઈટીના દરોડા પાડવામાં આવે છે અને લાખો અને કરોડો રૂપિયાની રોકડ મળી આવે છે. આ રોકડ અનધિકૃત રોકડ છે. આવકવેરા વિભાગ પગલાં લેતા પહેલા તે આવકના સ્ત્રોત વિશે પૂછે છે. જ્યારે કોઈ વ્યક્તિ તેની આવકના સ્ત્રોત વિશે માહિતી આપવામાં અસમર્થ હોય, ત્યારે કાર્યવાહી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તેની રોકડ જપ્ત કરવામાં આવી છે. વ્યક્તિને દંડ પણ કરવામાં આવે છે અને કેટલીકવાર ધરપકડ પણ કરવામાં આવે છે. એકંદરે, તમે ઘરમાં જે પણ રોકડ રાખો છો, તે મહત્વનું છે કે તમારી પાસે તેનો સ્ત્રોત છે.

રોકડના મામલામાં શું છે નિયમ?

4/5
image

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ પ્રમાણે જો તમે બેંક એકાઉન્ટમાં એક સાથે 50 હજારથી વધુ રોકડ ઉપાડો છો કે જમા કરાવો છો તો તમારે પાન કાર્ડ દેખાડવું પડશે.

શું છે આવકવેરા અધિનિમની કલમ 194N

5/5
image

આવકવેરા અધિનિયમની કલમ 194N હેઠળ જો કોઈ વ્યક્તિએ છેલ્લા ત્રણ વર્ષથી આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું નથી અને તે એક નાણાકીય વર્ષમાં બેંકમાંથી 20 લાખ રૂપિયાથી વધુ રકમ ઉપાડે છે તો તેણે 20 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર 2 ટકા અને 1 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન પર 5 ટકા સુધી ટીડીએસ આપવો પડશે. જે લોકોએ રિટર્ન ફાઇલ કર્યું છે, તેને આ મામલામાં થોડી રાહત મળી જાય છે. આવા લોકો ટીડીએસની ચુકવણી કર્યા વગર બેંક, પોસ્ટ ઓફિસ કે કો-ઓપરેટિવ બેંકના ખાતામાંથી એક નાણાકીય વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધુના કેશ ઉપાડી શકે છે. વર્ષમાં 1 કરોડથી વધુ કેશ કાઢવા પર 2 ટકા ટીડીએસ ભરવો પડશે.