સૈનિકોનું એવું મંદિર જ્યાં યમરાજ પણ જતા ડરે છે ! યુદ્ધ પહેલાં માથું નમાવે છે ભારતીય સેના

OP Baba Temple : પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર ભારે તણાવ છે. ત્યારે આજે અમે તમને એવા સૈનિકોના મંદિર વિશે જણાવીશું જે ભારતના સૈનિકોની રક્ષા કરે છે. તે મંદિરનું નામ ઓપી બાબા મંદિર છે. આ મંદિરે વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીનમાં આવેલું છે. 

1/6
image

ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હવે આતંકવાદીઓને બક્ષવામાં આવશે નહીં, જેના પછી સમગ્ર પાકિસ્તાનમાં અરાજકતા છે. તમામ વિસ્તારોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિશ્વના સૌથી ઊંચા અને ખતરનાક યુદ્ધક્ષેત્ર સિયાચીનમાં આવેલ 'ઓપી બાબાનું મંદિર' ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 'ઓપી બાબા' જેને સિયાચીનના રક્ષક માનવામાં આવે છે. ભારતીય સૈન્યના સૈનિકો તેમને તેમના મહાન કમાન્ડર માને છે અને દરેક મિશન પહેલા અને પછી તેમના મંદિરમાં તેમનું સન્માન કરે છે.

2/6
image

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓપી બાબાનું પૂરું નામ ઓમ પ્રકાશ છે. તે ભારતીય સેનાના સૈનિક હતા, જે 1980ના દાયકામાં સિયાચીનમાં મલૌન પોસ્ટ પર તૈનાત હતા. એવું કહેવાય છે કે તેમણે એકલા હાથે દુશ્મનના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. પરંતુ તેઓ રહસ્યમય સંજોગોમાં શહીદ થયા હતા. ત્યારથી સૈનિકોનું માનવું છે કે ઓપી બાબાની આત્મા સિયાચીનમાં તૈનાત સૈનિકોની રક્ષા કરે છે. તેમનું મંદિર સિયાચીનમાં ભારતીય સેનાના બેઝ કેમ્પ પાસે છે, જ્યાં દરેક સૈનિક પહેલા જાણ કરે છે.

3/6
image

ભારતીય સૈનિકો માને છે કે ઓપી બાબા તેમને હાડ થીજવતી ઠંડી અને ગ્લેશિયરના જોખમોથી બચાવે છે. ઘણા સૈનિકો કહે છે કે જો કોઈ સૈનિક રસ્તો ભૂલે છે અથવા તો હિમવર્ષા આવવાની છે, તો ઓપી બાબા તેમના સપનામાં આવે છે અને તેમને ચેતવણી આપે છે. આવી ઘણી કહાનીઓ છે જ્યાં ઓપી બાબાએ સૈનિકોને તેમના સપનામાં જોખમ વિશે ચેતવણી આપી હતી અને તેમનો જીવ બચાવ્યો હતો.  

4/6
image

સિયાચીન વિશ્વનું સૌથી ઉંચુ યુદ્ધ ક્ષેત્ર છે, જ્યાં 12 મહિના સુધી બરફ જામેલો રહે છે. અહીંનું તાપમાન દિવસ દરમિયાન -30 થી -55 ડિગ્રી સેલ્સિયસ સુધી જાય છે. ગ્લેશિયર ત્રણ બાજુથી પાકિસ્તાન અને ચીનથી ઘેરાયેલું છે, જેના કારણે ભારતીય સૈનિકો દરેક ક્ષણે સતર્ક રહે છે. અહીં ભારતીય સૈનિક ઓક્સિજનની અછત અને બરફના તોફાનમાં પણ દેશની રક્ષા કરે છે.

5/6
image

1996માં ઓપી બાબાનું મંદિર એક નાની ઝૂંપડીમાં હતું. પરંતુ 2003માં ભારત-પાકિસ્તાન સમજૂતી બાદ તેને કાયમી મંદિર બનાવી દેવામાં આવ્યું હતું. અહીં સૈનિકો માત્ર પૂજા જ નથી કરતા પરંતુ મિશનની શરૂઆતમાં અને અંતમાં ઔપચારિક અહેવાલ પણ આપે છે. આ મંદિર વિશે ઘણી વાતો છે, જેમાંથી એક એવી છે કે 2016માં સિયાચીનમાં હિમપ્રપાતમાં ફસાયેલા લાન્સ નાઈક હનુમંતપ્પાને 6 દિવસ બાદ બચાવી લેવામાં આવ્યા હતા.

6/6
image

સૈનિકોનું માનવું હતું કે ઓપી બાબાની કૃપાથી જ આ ચમત્કાર થયો છે. જો કે તેમનું બાદમાં મૃત્યુ થયું હતું, પરંતુ આ ઘટનાએ ઓપી બાબા પ્રત્યેની શ્રદ્ધા વધુ વધારી છે. ઓપી બાબાની વાર્તા સિયાચીનના જવાનો માટે હિંમત અને વિશ્વાસનું પ્રતિક છે. આ તે શક્તિ છે જે સૈનિકોને હિમવર્ષા દરમિયાન પણ દેશની રક્ષા કરવાની તાકાત આપે છે.