'દારૂ, સુંદર યુવતીઓનો શોખ...' તેમની ખૂબ જ પ્રશંસા કરતી હતી રાજવી પરિવારની મહિલાઓ, કોણ હતા તે 'પાગલ સંન્યાસી'?

Grigori Rasputin: ઇતિહાસના પાનાઓમાં આવી ઘણી કહાનીઓ નોંધાયેલી છે જેનાથી આપણે અજાણ્યા છીએ. આવી જ એક કહાની વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. આ કહાની છે ગ્રિગોરી રાસ્પુટિનની, જેમણે પોતાની શક્તિઓથી રશિયાના રાજવી પરિવારને હેરાન કરી દીધો હતો.

Who was Grigori Rasputin

1/7
image

દુનિયાભરમાં એવા ઘણા લોકો હોય છે, જેમની રહસ્યમય કહાનીઓ લોકોને ચોંકાવી દે છે. ઘણા લોકો એવા છે જેમના વિશે જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. અમે તમને આવી જ એક કહાની વિશે જણાવવા જઈ રહ્યા છે, તે એક એવા ચમત્કારિક વ્યક્તિ હતા જેના પડઘા આજે પણ ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલ છે, જેમને મારવા માટે ઝેર આપવામાં આવ્યું હતું, જેમને ગોળી મારી દેવામાં આવી હતી, તેમ છતાં તે જીવતા રહ્યા, તેઓ સ્નાન પણ ન કરતા હતા, તેના શરીરમાંથી વિચિત્ર મહેક આવતી હતી, તેમ છતાં યુવતીઓ તેના માટે પાગલ હતી. આખરે આ વ્યક્તિમાં એવું તો શું ખાસ હતું, ચાલો જાણીએ.

2/7
image

અમે વાત કરવા જઈ રહ્યા છીએ રશિયા પર લગભગ 300 વર્ષ સુધી શાસન કરનાર શક્તિશાળી રોમન સામ્રાજ્યનો અંત કરનાર પાગલ સંન્યાસી ગ્રિગોરી રાસ્પુટિન વિશે. તે એક સામાન્ય ખેડૂત હતા, પરંતુ તેમણે રશિયાના શાહી દરબારને હચમચાવી નાખ્યો હતો.

3/7
image

રાસ્પુટિનનો જન્મ 1869માં એક સુદૂર સાઇબેરિયાઈ ગામમાં થયો હતો. બાળપણમાં તે અન્ય સામાન્ય બાળકો જેવા જ હતા. જો કે, તેનો ઝુકાવ ધીમે-ધીમે અન્ય વસ્તુઓ તરફ વધતો ગયો અને ધાર્મિક બાબતોમાં રસ હોવાને કારણે તે એક અલગ ઓળખ બનાવવામાં સફળ થયા.

4/7
image

ધીમે-ધીમે રાસ્પુટિન એક રહસ્યમય જીવન જીવવા લાગ્યા. તે સમયે લોકો કહેવા લાગ્યા કે, તેની પાસે ચમત્કારિક શક્તિઓ છે અને તેના કારણે તેની ઓળખ વધવા લાગી. આ વાત રશિયાની રાણી એલેક્ઝેન્ડ્રા ફ્યોદોરોવના સુધી પહોંચી અને પછી એક સમયે રાસ્પુટિન તેના માટે પણ વરદાન સાબિત થયા.

5/7
image

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એલેક્ઝેન્ડ્રાનો પુત્ર એલેક્સી એક દુર્લભ અને જીવલેણ બીમારીથી પીડાઈ રહ્યો હતો. જ્યારે ડોકટરો તેનો ઈલાજ કરવામાં નિષ્ફળ ગયા, ત્યારે ગ્રિગોરી રાસ્પુટિને તેને સ્વસ્થ કરવાનો દાવો કર્યો અને તેની સારવારને કારણે, તેની તબિયતમાં સુધારો થવા લાગ્યો અને આ સફળતા પ્રાપ્ત કર્યા પછી રાસ્પુટિનની રાજવી પરિવાર સાથે નિકટતા વધવા લાગી.

6/7
image

રાજવી પરિવાર સાથેની તેમની નિકટતા તેમને એક શક્તિશાળી માણસ બનાવી દીધા હતા, પરંતુ તે અન્ય લોકો માટે મોટી હેરાનગતિ બની ગઈ. લોકો તેમના પ્રત્યે ઈર્ષ્યા કરવા લાગ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લોકો રાસ્પુટિનના પ્રભાવને 'ડાર્ક પાવર' માનવા લાગ્યા. લોકો કહેતા હતા કે, તે રશિયાને ખૂબ કમજોર કરી રહ્યા હતા.

7/7
image

રાજવી પરિવાર સાથેની તેની નિકટતાને લોકો ખોટી રીતે જોવા લાગ્યા. ધીમે-ધીમે એવું કહેવામાં આવ્યું કે, તેના ઘણી સ્ત્રીઓ સાથે સંબંધો બનવા લાગ્યા હતા અને દારૂના વ્યસનને કારણે તે ખોટી રીતે કામ કરી રહ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું કે, રાસ્પુટિનના એલેક્ઝેન્ડ્રા સાથે અવૈધ સંબંધો હતા. તેમની પાસે જવા માટે સુંદર યુવતીઓ ઉત્સુક રહેતી હતી. તેનું મૃત્યુ કેવી રીતે થયું તે હજુ પણ એક રહસ્ય છે.